Proud of Gujarat
FeaturedGujaratINDIA

પુર્વ વડાપ્રધાન એચ.ડી.દેવગોવડા સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાતે

Share

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

તા.૫ મી ઓક્ટોબર ૨૦૧૯ ને શનિવાર નાં રોજ સવારે નર્મદા જિલ્લા નાં ગરુડેશ્વર તાલુકા નાં કેવડિયા કોલોની ખાતે દેશ ના પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગોડા આવી પોહચ્યા હતાં. ત્યાર બાદ તેઓ સરદાર સરોવર ડેમ ખાતે નિર્મિત સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ગરુડેશ્વર દત્ત મંદિર ની મુલાકાત લીધી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત બાદ પરત ફરતા સાંજ ના સમયે તેઓ વડોદરા જિલ્લા નાં નારેશ્વર રંગ અવધૂત મહારાજ નાં મંદિર ની મુલાકાત પણ લીધી હતી.અહીં માજી વડાપ્રધાને નારેશ્વર મંદિર ખાતે પૂજા પાઠ કર્યા હતા.ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે માજી વડાપ્રધાને મંદિર પરિસર ની મુલાકાત લઈ દર્શન કર્યા હતા.
આ પ્રસંગે કરજણ નાં ધારાસભ્ય અક્ષય પટેલ સહિત નારેશ્વર વિસ્તાર નાં આગેવાનો તેમજ વડોદરા ડી.વાય.એસ.પી કલ્પેશ સોલંકી કરજણ પી.આઇ ડાંગર વાલા, કરજણ મામલતદાર કરજણ ટી.ડી.ઓ સહિત અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ વડાપ્રધાન ની ટૂંકી મુલાકાત દરમ્યાન મોટી સંખ્યા માં ગ્રામ્યજનો પણ હાજર રહી માજી વડાપ્રધાન નું અભિવાદન કર્યું હતું.

Advertisement

Share

Related posts

સુરતમાં ધો. 10 ની પરીક્ષા આપવા જઈ રહેલી વિધાર્થિનીને નડ્યો અકસ્માત.

ProudOfGujarat

રાજ્યના અધિક પોલીસ મહાનિર્દેશક અનિલ પ્રથમેં સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ વર્ગની મુલાકાત લીધી

ProudOfGujarat

ઉનાળુ પાકમાં ખેડૂતોને નુકસાન ન જાય તે માટે પૂરતું પાણી આપવા વડોદરા અને છોટાઉદેપુરના ધારાસભ્યની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!