Proud of Gujarat
FeaturedGujaratINDIA

પુર્વ વડાપ્રધાન એચ.ડી.દેવગોવડા સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાતે

Share

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

તા.૫ મી ઓક્ટોબર ૨૦૧૯ ને શનિવાર નાં રોજ સવારે નર્મદા જિલ્લા નાં ગરુડેશ્વર તાલુકા નાં કેવડિયા કોલોની ખાતે દેશ ના પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગોડા આવી પોહચ્યા હતાં. ત્યાર બાદ તેઓ સરદાર સરોવર ડેમ ખાતે નિર્મિત સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ગરુડેશ્વર દત્ત મંદિર ની મુલાકાત લીધી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત બાદ પરત ફરતા સાંજ ના સમયે તેઓ વડોદરા જિલ્લા નાં નારેશ્વર રંગ અવધૂત મહારાજ નાં મંદિર ની મુલાકાત પણ લીધી હતી.અહીં માજી વડાપ્રધાને નારેશ્વર મંદિર ખાતે પૂજા પાઠ કર્યા હતા.ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે માજી વડાપ્રધાને મંદિર પરિસર ની મુલાકાત લઈ દર્શન કર્યા હતા.
આ પ્રસંગે કરજણ નાં ધારાસભ્ય અક્ષય પટેલ સહિત નારેશ્વર વિસ્તાર નાં આગેવાનો તેમજ વડોદરા ડી.વાય.એસ.પી કલ્પેશ સોલંકી કરજણ પી.આઇ ડાંગર વાલા, કરજણ મામલતદાર કરજણ ટી.ડી.ઓ સહિત અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ વડાપ્રધાન ની ટૂંકી મુલાકાત દરમ્યાન મોટી સંખ્યા માં ગ્રામ્યજનો પણ હાજર રહી માજી વડાપ્રધાન નું અભિવાદન કર્યું હતું.

Advertisement

Share

Related posts

ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકના આરોપીએ લોકઅપમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો.

ProudOfGujarat

70 વર્ષ પછી બંધ થઈ રહ્યું છે લંડનનું ઐતિહાસિક ઈન્ડિયા ક્લબ, આઝાદી પછીથી હતું ભારતીય પ્રવાસીઓનું બીજું ઘર

ProudOfGujarat

વડોદરા પાસે નેશનલ હાઇવે પર ઉભેલી ટ્રકની પાછળ આઇસર ટેમ્પો ઘૂસી જતાં અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!