Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં બંધ મકાનમાંથી રૂ.1,90,000 ની ચોરી

Share

અંકલેશ્વર આરાધના સોસાયટીના મ.નં.33 માં રહેતા મૂળ રાજસ્થાનના વાતની ઓસારામ રાણરામ પ્રજાપતિએ અંકલેશ્વર પશુપતિનાથ મંદિરમાં આરાધના આર્કેડમાં બં-5 શીવશક્તિ કૃપા મોબાઇલની દુકાન ચલાવતા હોય અને તેમની પત્નીના નામ પર તા.07-09-19 ના રોજ મ.નં-102 અનુરાધા એપાર્ટમેન્ટ પ્લોટ નં.6162 અંકલેશ્વર જી.આઇ.ડી.સી માં મકાન ખરીદેલ જે મકાનનું ખાત મુહૂર્ત તા.03-10-19 ના રોજ રાખવામા આવેલું પરંતુ કોઈ કારણોસર મોકૂફ રાખેલ ગઈ તા.12-09-19 ના રોજ ઓસારામ પ્રજાપતિએ તેમના ICICI બેંકના ખાતમાથી રૂ.3,80,000/- ઉપાડેલ હતા જેમાથી રૂ.1,90,000/- મોબાઇલમા માલ ભરાવવા વેપારીને આપેલા જ્યારે બીજા વધેલા રૂ.1,90,000/- તેઓના નવા ધરે મ.નં.-102 અનુરાધા એપાર્ટમેન્ટ પશુપતિનાથ મંદિર ખાતે તિજોરીમાં મૂકેલા હતા. જે તા.02-10-19 ના રોજ સાંજના 19:00 વાગ્યે ઓસારામ નવાં ધરે ફોટો મૂકવા જતાં તિજોરીમાથી રૂ.1,90,000/- ની ચોરી થઈ હોવાની ખબર પડતાં તેઓએ તે અંગેની પોલીસ ફરિયાદ કરેલ છે.

Advertisement

Share

Related posts

લીંબડી પંથકમાં ખેતરમાં પાણી ફરી વળતાં ખેડૂતો ચિંતામાં મુકાયા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “મહિલા નેતૃત્વ દિવસ” ની ઉજવણી કરાઈ

ProudOfGujarat

અંકલેશ્વરમાં રિક્ષામાં વહન થતું વિદેશી દારૂ ઝડપી પાડતી અંકલેશ્વર શહેર પોલીસ.રૂપિયા ૫૯૦૦૦ ઉપરાંતની મતા જપ્ત …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!