Proud of Gujarat
FeaturedGujaratINDIA

દિલ્હીમાં વકીલો અને પોલીસ વચ્ચે થયેલાં ઘર્ષણ અને ત્યારબાદ વકીલો પર થયેલાં લાઠીચાર્જના કેસમાં આજે બુધવારના રોજ સ્થાનિક કોર્ટના વકીલો લાલ પટ્ટી ધારણ કરીને પોલીસની બર્બરતાનો વિરોધ કરશે.

Share

સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ પટેલના જણાવ્યુ અનુસાર વકીલો સવારે 11 કલાકે જિલ્લા ન્યાયાલય બિલ્ડિંગના મુખ્ય દરવાજા પાસે મોટી સંખ્યામાં હાજર રહી વિરોધ કરશે. ઉપરાંત દિવસભર વકીલો લાલપટ્ટી ધારણ કરશે. દિલ્હીની તીસહજારી કોર્ટમાં વકીલો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને ગોળીબાર પણ કરાયો હતો જેમાં એક વકીલને ગોળી વાગી હતી. ઉલ્લેખનીય છે કે, કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ પ્રદર્શન કરી રહેલા વકીલોને કામ પર પરત ફરવાની અપીલ કરી છે. કાઉન્સિલે કહ્યું કે, ગુંડાગર્દી કરનારા વકીલોની ઓળખાણ કરવામાં આવે.

Advertisement

Share

Related posts

વિરમગામના વસવેલીયા ગામમાં લક્ષ્ય સોસિયલ સર્વિસ ફાઉન્ડેશન દ્વારા કપડા વિતરણ કરાયુ

ProudOfGujarat

ભરૂચ સિવિલમાં ફરજ બજાવતા ડૉ. અભિનવ શર્મા અને તેમની ટીમની સરાહનીય કામગીરી.

ProudOfGujarat

ભરૂચ : પટેલ વેલ્ફેર હોસ્પિટલ તેમજ દહેગામ યુવક મંડળ દ્વારા કોરોના સામે જનજાગૃતિની પ્રવૃતિ કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!