Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં સતત ત્રીજા દિવસે સિટી બસના અકસ્માતના પગલે લોકોમાં રોષ ફેલાયો અને કોંગ્રેસ દ્વારા પાલિકા ખાતે સુત્રોચ્ચાર કરી વિરોધ.

Share

સુરતમાં સતત ત્રીજા દિવસે સિટી બસના અકસ્માતના પગલે લોકોમાં રોષ ફેલાયો છે. આ અકસ્માતમાં બે દિવસમાં ચારના મોત નીપજ્યા આક્રોશ ફેલાયો છે. દરમિયાન કોંગ્રેસ દ્વારા પાલિકા ખાતે સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવી સિટી બસ બંધ કરવાની માંગ કરવામાં આવી રહી છે.સિટી બસ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ગત બુધવારના રોડ ડિંડોલી બ્રિજ પર સિટી બસે બાઈકને અડફેટે લીધું હતું. જેમાં પિતા-પુત્ર અને ભત્રીજાનું મોત નીપજ્યું હતું. જ્યારે આ ઘટનામાં પરિવારજનો દ્વારા મૃતકોના મૃતદેહ પણ સ્વિકારવામાં આવ્યા ન હતા ત્યાં જ સિટી બસે ઉધના નજીક દક્ષેશ્વર મંદિર પાસે એક યુવકને બીઆરટીએસ રૂટમાં અડફેટે લેતા મોતને ભેટ્યો હતો. જ્યારે આજે નાનપુરામાં સિટી બસની અડફેટે આવ્યા હતા.આમ ત્રણ દિવસમાં ચારનો ભોગ લેનાર સિટી બસ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અકસ્માત ઓછા થાય તે દિશામાં પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.
સ્થાયી સમિતિના ચેરમેને જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા મૃતકોના પરિવારજનોને પાંચ લાખ રૂપિયા આપવાની રજૂઆતો કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર અને સ્થાયી સમિતિ ચેરમેન દ્વારા બીઆરટીએસ રૂટમાં અકસ્માત ઓછા થાય તે દિશામાં પ્રયત્ન કરવામાં આવી જ રહ્યા છે. દોષી ડ્રાઇવરોને તાત્કાલિક અસરથી છુટા કરવામાં આવશે.એજન્સીને છાવરવા માટે પક્ષાપક્ષી કરવી જોઈએ નહીં. કોઈના મોત પર રાજકારણ થવું ન જોઈએ.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર અજાણ્યા વાહન ચાલકની ટક્કરથી રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત થવાથી જીવદયા પ્રેમીઓમાં ભારે રોષની લાગણી વ્યાપી ગઇ છે.

ProudOfGujarat

ઝઘડિયામાં ડમ્પર ચાલક પર અમાનૂસી અત્યાચારનો આરોપ, ધારાસભ્યના પુત્ર સહિત પાંચ સામે ગુનો નોંધાયો

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં વિજ્ઞાન શિક્ષકો માટે શનિવારે માર્ગદર્શન બેઠકનું આયોજન  :  વર્ષ 2026-27ની વિજ્ઞાનલક્ષી પ્રવૃત્તિઓ અને રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ અંગે મળશે માર્ગદર્શન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!