Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં વારંવાર કોઇને કોઈ નિષ્કાળજી જોવા મળે છે.

Share

રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં વારંવાર કોઈને કોઈ નિષ્કાળજી જોવા મળે છે. સત્તાધીશો જાણે આંખ આડા કાન કરી રહયા હોય તેમ લાગી રહ્યું છે સામાન્ય રીતે દર્દીઓ સાજા થવા હોસ્પિટલમાં આવતા હોય પરંતુ રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં ઘોર બેદરકારી વારંવાર સામે આવી છે.
થોડા દિવસો અગાઉ ડાયાલીસીસનું દૂષિત પાણી જાહેરમાં છોડાતું હોવાના અહેવાલ પ્રસિદ્ધ થયા ત્યાર બાદ હાલ ડ્રેનેજનું ગંદુ પાણી કુંડીમાંથી ઉભરાઈ બહાર આવી રહ્યું હોય ભારે દુર્ગંધથી દર્દીઓ અને તેમના સંબંધીઓ તથા સ્ટાફ હેરાન થઈ ગયા છે ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં ઘણી જગ્યાએ ડ્રેનેજની કુંડીઓના ઢાંકણો ખુલ્લા હોઈ અકસ્માતનો પણ ભય તોળાઈ રહ્યો છે.છતાં અધિકારીઓ કેમ આળસ મરડે છે એ સમજાતું નથી.આવી ગંભીર બાબતોનું ધ્યાન લઈ વહેલી તકે મરામત કરાવી ડ્રેનેજના પાણીનો યોગ્ય નિકાલ કરાય અને જોખમી ખુલ્લા ઢાંકણા બંધ કરાય તેવી માંગ ઉઠી છે.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

ભરૂચ – સગીરાને માતાએ ઠપકો આપતાં ઘર છોડી જતાં કોસંબા સ્ટેશન પર જતી રહેલી સગીરાને પોતાના ઘરે લાવી વારંવાર બાળાત્કાર ગુજારનાર આરોપીને 10 વર્ષ કાળાવાસની સખ્ત સજા તેમજ 3 લાખ નો દંડ ચૂકવવાનો આદેશ કરતી ભરૂચ એડિશનલ ડી. સેશન કોર્ટ

ProudOfGujarat

ભરૂચના શ્રવણ ચોકડી નજીકના એક શોપિંગ ખાતે પાર્ક કરેલ ઇલેક્ટ્રિક બાઇકમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ.

ProudOfGujarat

હાંસોટ તાલુકાના છિલોદ્રાના માંઈ ભક્તોનો શિવ શક્તિ પદયાત્રા સંઘ અંબાજી માતાજીના દર્શનાર્થે રવાના.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!