Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં વારંવાર કોઇને કોઈ નિષ્કાળજી જોવા મળે છે.

Share

રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં વારંવાર કોઈને કોઈ નિષ્કાળજી જોવા મળે છે. સત્તાધીશો જાણે આંખ આડા કાન કરી રહયા હોય તેમ લાગી રહ્યું છે સામાન્ય રીતે દર્દીઓ સાજા થવા હોસ્પિટલમાં આવતા હોય પરંતુ રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં ઘોર બેદરકારી વારંવાર સામે આવી છે.
થોડા દિવસો અગાઉ ડાયાલીસીસનું દૂષિત પાણી જાહેરમાં છોડાતું હોવાના અહેવાલ પ્રસિદ્ધ થયા ત્યાર બાદ હાલ ડ્રેનેજનું ગંદુ પાણી કુંડીમાંથી ઉભરાઈ બહાર આવી રહ્યું હોય ભારે દુર્ગંધથી દર્દીઓ અને તેમના સંબંધીઓ તથા સ્ટાફ હેરાન થઈ ગયા છે ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં ઘણી જગ્યાએ ડ્રેનેજની કુંડીઓના ઢાંકણો ખુલ્લા હોઈ અકસ્માતનો પણ ભય તોળાઈ રહ્યો છે.છતાં અધિકારીઓ કેમ આળસ મરડે છે એ સમજાતું નથી.આવી ગંભીર બાબતોનું ધ્યાન લઈ વહેલી તકે મરામત કરાવી ડ્રેનેજના પાણીનો યોગ્ય નિકાલ કરાય અને જોખમી ખુલ્લા ઢાંકણા બંધ કરાય તેવી માંગ ઉઠી છે.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

ગાંધીનગર : દહેગામ GIDC ના ગોડાઉનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ProudOfGujarat

વડોદરા એમ.એસ. યુનિવર્સિટીમાં બે વિદ્યાર્થી જૂથ વચ્ચે મારામારી

ProudOfGujarat

રાજપારડી ગામે પોલીસ ચેકિંગ દરમિયાન ચોરીની મોટરસાયકલ સાથે એક ઇસમ ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!