Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેરના ગડખોલ પાટિયા નજીક આવેલ નમક ફેક્ટરી પાછળ રહેતી 29 વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટુકાવી લેતા પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ છે.

Share

પ્રાપ્ત મળતી વિગતો અનુસાર અંકલેશ્વરના ગડખોલ પાટિયા નજીક આવેલ નમક ફેક્ટરીની પાછળ રહેતા સપનાબેન વિનોદભાઈ રાજભર ઉંમર વર્ષ 29 નાઓએ અગમ્ય કારણોસર પોતાના મકાનમાં તાળુ બંધ કરીને ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ છે. 29 વર્ષીય યુવતી મુળી યુપીના રહેવાસી છે. આ યુવતીએ કયા કારણોસર આપઘાત કર્યો? તે હાલ જાણી શકાયું નથી. ઘટના અંગેની જાણ શહેર પોલીસને કરાતા શહેર પોલીસે ઘટનાસ્થળે આવી લાશનો કબજો મેળવી લાશને પીએમ અર્થે અંકલેશ્વર સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી વધુ તપાસ આરંભી છે.

Advertisement

Share

Related posts

આબુ ઠંડુગાર – ક્રિસમસના બીજા દિવસે તાપમાન માઇન્સ 2 ડિગ્રી, બરફની ચાદરો છવાઈ : પર્યટકો નજારો જોઈને અભિભૂત થયા

ProudOfGujarat

ભરૂચની નાનાવટી મોટર્સની મહિલા કેશિયરે ૧.૯૦ લાખની ઠગાઈ કરતાં ફરિયાદ

ProudOfGujarat

તિલકવાડા તાલુકાનાં બુજેઠા ગામે જુગાર રમતા 6 ઈસમો ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!