Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસને નાથવા આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો જેમાં વિદેશ પ્રવાસે ગયેલ એક દંપતિને ઓબ્જર્વેશન માટે રખાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

Share

કોરોના વાયરસને લઇ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો હતો. રાજ્યના આરોગ્ય વિભાગે કોરોના વાયરસની દહેશત અને સંભવિતતાને જોતા રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલો તેમજ સરકારી હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવાના આદેશો જારી કર્યા છે.

દરમ્યાન ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ઊભા કરાયેલ આઇસોલેશન વોર્ડમાં વિદેશથી આવેલ પતિ પત્નીને ઓબ્ઝર્વેશન માટે રખાયા હોવાની પણ વિગતો બહાર આવી છે. મળતી માહિતી પ્રમાણે આ દંપતિ હાલમાં મલેશિયા અને સિંગાપુરના પ્રવાસે ગયું હતું. બંનેનો રિપોર્ટ અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજમાં પરીક્ષણ માટે મોકલાયો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જોકે ભરૂચ સિવિલ હોસ્પિટલના સર્જને જણાવ્યું હતું કે આ દંપતિ તબીબી નિરીક્ષણ હેઠળ છે અને રિપોર્ટ આવ્યા બાદ સાચી પરિસ્થિતિ સામે આવશે હાલ તુરંત ચિંતાની કોઈ વાત નથી.

Advertisement

Share

Related posts

લગ્નની લાલચ આપીને સગીર બાળાનું અપહરણ કરીને ચાર મહિનાથી નાસતા ફરતા આરોપીને ભરૂચ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો.

ProudOfGujarat

વડોદરા : બેફામ બનેલા બુટલેગરોની ખુલ્લેઆમ એકબીજાને ધમકીઓ, પોલીસને ભરણ આપું તો મારા વિસ્તારમાં ધંધો નહિ કરવાનો..!!!

ProudOfGujarat

ભરૂચ જિલ્લા દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં ઘટેલી દુર્ઘટનાં મામલે સમસ્ત જિલ્લા માછીમાર સમાજ દ્વારા એનજીટીમાં ફરિયાદ આપતા એનજીટી દ્વારા કંપનીને રૂપિયા 25 કરોડ કોર્ટમાં જમા કરાવવાનો હુકમ કરી એક તપાસ સમિતિની રચના કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!