Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુપ્રસિદ્ધ ચોટીલા ડુંગર સ્થિત ચામુંડા માતાનું મંદિર આજથી 11 દિવસ દર્શન માટે બંધ રહેશે કોરોના વાયરસની દહેશતને પગલે આ નિર્ણય લેવાયો છે.

Share

વિશ્વભરમાં આજે ફેલાયેલા કોરોના નામનો વાયરસથી સમગ્ર દેશો ચિંતિત છે. ત્યારે સરકાર દ્વારા સાવચેતીના પગલાં રૂપે ચોટીલા પ્રાંત કચેરી ખાતે તા.17 માર્ચને મંગળવારે તાલુકાના તમામ ધાર્મિક સ્થળોના સંતો-મહંતો સાથે ડેપ્યુટી કલેકટરે બેઠક બોલાવી હતી. જેમાં સ્વૈછીક રીતે ધાર્મિક સ્થળો બંધ રાખવા માટે અપીલ કરી બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. કોરાના વાઇરસને લઇને સાવચેતીના પગલા રૂપે ચોટીલા પંથકના ધાર્મિક સ્થળો બાબતે આયોજન કરાયુ હતુ. જેમાં ચોટીલા પ્રાંત અધિકારી આર.બી.અંગારીએ તા.17-3-2020ના રોજ પ્રાંત કચેરી ખાતે તાલુકાના તમામ ધાર્મિક સ્થળો માટે બેઠક બોલાવાઈ હતી. જેમાં દરેક પોતાના ધાર્મિક સ્થળો તા.18 થી 29 માર્ચ-2020 સુધી બંધ રાખવા માટે નિર્ણય કર્યો હતો. દર્શન કરવા આવતા દર્શનાર્થીઓના સ્વાસ્થ્ય અંગે સરકાર તેમજ અમોને ચિંતા રહેતી હોવાથી સરકારના આ નિર્ણયને માન આપી તા.18-3-2020 થી તા.29-3-2020 સુધી મંદિર બંધ રહશે એમ ચામુંડા માતાજી મંદિર ડુંગરના મહંત અમૃતગિરિ બાપુએ જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે ઘી પાનેશ્વર દૂધ ઉત્પાદક સહકારી મંડળી અને સાંઈ યુવક મંડળ દ્વારા શેરડી કાપતાં મજૂરો અને જરૂરિયાત મંદ ગરીબોને મફત ભોજનનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

પરીક્ષા પાસ કરાવવાની લાંચ લેવામાં કર્મચારી ફેલ : ACB એ છટકું ગોઠવી વલસાડ કોલેજનાં લેબ આસિસ્ટન્ટને લાંચ લેતાં ઝડપી પાડયો.

ProudOfGujarat

ઝઘડીયા ચાર રસ્તા પર બાબાસાહેબ આંબેડકર તેમજ બિરશા મુંડાની પ્રતિમા મુકવા માંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!