Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ : માંગરોળમાં આર્યુવેદિક દવાખાના દ્વારા મહિલા મંડળની બહેનોને આર્યુવેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું.

Share

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે આવેલ સિદ્ધિ વિનાયક મહિલા મંડળની બહેનોને કોરોના વાયરસ પ્રતિરોધક ઉકળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સુરત જીલ્લા પંચાયત સંચાલિત વાંકલ ગામનાં આર્યુવેદિક દવાખાનાનાં ડૉ.હેમાલીબેનનાં નેતૃત્વ હેઠળ વાંકલ ગામનાં અંબાજી મંદિર ખાતે આર્યુવેદિક ઉકાળા વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાંકલ ગામની મહિલા મંડળની બહેનો તેમજ અન્ય લોકોએ આર્યુવેદિક ઉકાળાનો લાભ લીધો હતો. તેમજ ડૉ.હેમાલીબેન દ્વારા કોરોના વાયરસથી બચવા કયા કયા તકેદારીનાં પગલાં લેવા તે અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ : કોરોના વાઇરસ સામેની લડતને મજબૂતી મળે તે માટે ઝઘડિયા સ્થિત લેંક્સેસ કંપનીએ કોમર્શિયલ સોશિયલ રિસ્પોન્સીબિલિટી અંતર્ગત પીએમ કેયર્સમાં 2 કરોડનું દાન કર્યું છે.

ProudOfGujarat

હવાઈ ​​પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર ! હવે આ લોકો મુસાફરી કરી શકશે નહીં, DGCAએ જારી કર્યો આદેશ.

ProudOfGujarat

નડિયાદ : વડતાલ મંદિરમાં મહાસુદ પૂનમના રોજ દિવ્ય શાકોત્સવ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!