Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા એપીએમસી માર્કેટ ખાતે સેનેટાઇઝ ટનલ મુકવામાં આવી.

Share

પંચમહાલ જીલ્લામાં પણ કોરોના વાયરસનાં પોઝીટીવ કેસોની સંખ્યા ૨૩ જેટલી નોંધાઈ છે. હાલમા તંત્ર દ્વારા પણ શરતી છુટછાટ દુકાનદારોને આપવામાં આવી છે.પોલીસ વિભાગ પણ લોકડાઉનનો અમલ કરાવી રહ્યુ છે.ગોધરામાં આવેલા એપીએમસી માર્કેટ ખાતે કોરોના વાયરસનું સંક્રમણનો ભોગ ખેડૂતો અને વેપારીઓ ન બને તે માટે સેનેટાઇઝ ટનલ મુકવામાં આવી છે. ગોધરામાં આવેલું ખેતીવાડી ઉત્પન બજાર સમિતીમાં વેપારીઓ અને ખેડૂત સહિત લોકો આવતા હોય છે. હાલમાં કોરોનાનો માહોલ ચાલી રહ્યો છે.તેના સંક્રમણથી બચવા સતર્કતા ઉપાય છે.ગોધરા ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ, ગોધરા ખાતે ખેડૂતો, વેપારીઓ અને યાર્ડમાં આવતા તમામ લોકો માટે સેનેટાઇઝ ટનલ મુકવામાં આવ્યું છે અને માર્કેટિંગ યાર્ડના વેપારીઓ અને ખેડૂતોને હેન્ડ સેનેટાઝર પણ આપવામાં આવ્યા છે.સાથે યાર્ડમાં માસ્ક પહેરીને આવવાનું સૂચન તેમજ સામાજિક અંતર રાખી વેપારના વ્યવહારો કરવા માટે ચેરમેન રાજેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

માંગરોળ : વાંકલના ખેતીવાડી વિસ્તારમાં ઈલેક્ટ્રીક મોટર કેબલ સહિત સામાનની ચોરી કરતી ગેંગને ઝડપી પાડવા ખેડૂતોની માંગ.

ProudOfGujarat

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રાજપીપળા આર્ટ્સ એન્ડ સાઇન્સ કોલેજમાં જીએસની બિનહરીફ વરણી

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં બાળ સંભાળ ગૃહોનાં બાળકોનું કૌટુંબિક પુન : સ્થાપન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!