Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ પંથક માંથી એક ભવ્ય મેળો લુપ્ત થયો જાણો કેમ…

Share

ભરૂચ પંથકમાં ઘણા વર્ષો થી એક મેળો લુપ્ત થયો છે. આ મેળો એટલે રક્ષાબંધન નારિયેળી પૂનમ નો મેળો આ મેળાને દિવસે નર્મદા નદી જયારે બે કાંઠે વહેતી હતી. ત્યારે નવચોકી કોટની બહાર નર્મદા માતાનું પાણી આવતું હતું. અને નવચોકી ખાતે રક્ષાબંધન અને નારિયેળી પૂનમનો ભવ્ય મેળો યોજાતો હતો. સમયની સાથે-સાથે નર્મદા નદીનો પટ સુકાવા માંડ્યો અને તેની સાથે જ નવચોકી નો ભવ્ય મેળો પણ ધીરે ધીરે બંધ થવા માંડ્યો વાસ્તવમાં ભરૂચ પંથકમાં દર વર્ષે મેળો ઉત્સવની શરૂઆત નવચોકીના મેળાથી થતી હતી. જે દિવસો સુધી ચાલતી હતી. એક પછી એક ગોકુળ આઠમનો મેળો અને છડી નોમનો મેળા સુધી આ મેળાની સીઝન ચાલતી હતી. હાલ નાળિયેરી પૂનમનો મેળો ભુલાઈ ગયો છે. જ્યારે જન્માષ્ટમી અને મેઘરાજાનો મેળો હજી પણ ભરૂચની ઓળખ છે. એમ કહી શકાય.

Advertisement

Share

Related posts

ભરૂચ શહેરના જાહેર માર્ગો પર ટ્રાફિકને અડચણરૂપી લારીઓ અને વાહનો સામે પોલીસનો સપાટો, અનેક સામે કાર્યવાહી

ProudOfGujarat

પાલેજના ડો.મતાઉદ્દીન પીરઝાદા સાહેબ એ ઇસપ નાથા ઉર્ફે નથ્થુબાવાની જીવન ગાથા વર્ણવી.

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી માં પાર્ક કરેલી બાઈકની ચોરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!