Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : ગણેશ સુગરનાં ચેરમેન અને કોંગ્રેસ અગ્રણી શ્રી સંદીપ માંગરોલાએ રેલથી થયેલ નુકસાન અંગે ગુજરાત સરકાર સ્પેશિયલ પેકેજ જાહેર કરે તેવી માંગણી કરેલ છે.

Share

ગણેશ સુગરનાં ચેરમેન અને કોંગ્રેસ અગ્રણી શ્રી સંદીપ માંગરોલા દ્વારા તાજેતરની પરિસ્થિતીનાં અનુસંધાને ગુજરાત સરકાર સ્પેશિયલ પેકેજ જાહેર કરે તેવી માંગ કરી છે. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતા કેવડીયાથી ભાડભુત, દહેજ સુધી નર્મદા નદીમાં પુરની સ્થિતિ ઉદભવી છે. કિનારાના ખેડૂતોના પાકોને ખૂબ મોટું નુકસાન થયું છે. ખેડૂતોએ ખૂબ મહેનત કરી ખેતી કરી હતી પરંતુ રેલ આવતા ખેતીને નુકસાન થયું છે. કેળ, શેરડી તેમજ શાકભાજી સહિતના વધુ ઉત્પાદન ખર્ચવાળા પાકોમાં છેલ્લા બે દિવસથી પાણી ભરાય જતા પાક નિષ્ફળ ગયો છે.

ત્યારે ગુજરાત સરકાર આ નુકસાન અંગે તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરે તેવી માંગણી સંદીપ માંગરોલાએ કરી છે. ભરૂચ શહેર અને તાલુકાના નિચાણવાળા ગામોમાં રેલના પાણી ભરાતા રહીશોને પણ હાલની કોરોના જેવી મહામારી ન ફેલાય તે માટે સાફ સફાઈનું ધ્યાન રાખવામા આવે તેવી પણ માંગણી કરી છે.

Advertisement

Share

Related posts

શું રેશનકાર્ડ ધરાવતા અને ન ધરાવતા દરેકને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ મળશે ? જાણો.

ProudOfGujarat

ખરોડ ગામ ખાતે કલ્બની આડમાં જુગાર રમતા ૯ જુગારીયા ઝડપાયા…

ProudOfGujarat

સમગ્ર દિવસ દરમિયાન ભરૂચ જિલ્લામાં કુલ 69.00% મતદાન….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!