Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં બજારોમાં ગલગોટાનાં ભાવ આસમાને જાણે ગલગોટાનાં ડુંગર ખડકાયા….

Share

છેલ્લા ચાર મહિનાથી જીલ્લામાં ફૂલોનાં ધંધામાં મંદીનું વાતાવરણ છવાઈ ગયું હતું. જેના પગલે ભરૂચ જીલ્લાનાં ફૂલોનાં વેપારીઓ ગરકાવ થઈ ગયા હતા. પરંતુ નવરાત્રિનાં આ દિવસોમાં માતાજીની દયા ભકતો પર ઉતરી હોય તેમ ફૂલોની માંગમાં વધારો થઈ ગયો હતો. જોકે ફૂલોનાં વેપારીઓને ફૂલોની માંગ અંગે અંદાજો હોવાથી વહેલી સવારથી જ ભરૂચ નજીકનાં ગોલ્ડન બ્રિજ ખાતેનાં ફૂલોનાં બજારમાં ગલગોટાનાં ફૂલોનાં ડુંગરો ખડકાઇ ગયા હતા.

ફૂલોનાં ડુંગરો ખડકાતા વાતાવરણમાં ચોમેર ગલગોટાની સુગંધ ફેલાઈ ગઈ હતી. તેમજ વાતાવરણ રમણીય બની ગયું હતું. જોકે ફૂલોનાં ભાવોમાં ખૂબ વધારો થઈ ગયો હોવાનું ગ્રાહકો જણાવતા હતા. જયારે ફૂલોનાં વેપારીઓનાં જણાવ્યા મુજબ કોરોના મહામારીનાં દિવસોમાં ગલગોટાનાં ફૂલોનાં હારની માંગ વધી હતી. જયારે વિતેલા વર્ષોમાં જયારે કોરોના મહામારી ન હતી ત્યારે સામૂહિક નવરાત્રિ મહોત્સવમાં નવરાત્રિ મહોત્સવનાં આયોજકો ગલગોટાનાં હારની સાથે ગુલાબ અને અન્ય હારની માંગ કરતાં હતા. જે લાંબા અને સુશોભિત હોવાના પગલે મોંધા હતા. જયારે આ વર્ષે ભકતો છૂટક ગલગોટાનાં ફૂલ રૂ. 50 થી લઈને તેથી વધુ કિંમતનાં ગલગોટાનાં હાર માંગી રહ્યા છે.

Advertisement

Share

Related posts

શાસ્ત્રીય સંગતીમા ગીતારાવાદક મોહન વીણા માટે ખ્યાતી પ્રાપ્ત એવા તન્મય મિશ્રાને સંગીતનો સર્વોચ્ચ એવોડ પ્રાપ્ત થયો

ProudOfGujarat

અમદાવાદમાં ઈકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તીનું સ્થાપન વર્ષો વર્ષ થાય તે માટે AMC નો અનોખો અભિગમ.

ProudOfGujarat

આકર્ષક ઇનામોની કુપનો બતાવી સામાન્ય ગ્રાહકો સાથે વધુ એક છેતરપિંડીની ફરિયાદ…જાણો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!