Proud of Gujarat
FeaturedGujaratINDIA

અખિલ ભારતીય વાલ્મિકી મહાપચાયત યુવામોર્ચા ના ઉપાધ્યક્ષ પદે કમલેશ સોંલકી ની નિમણુક.

Share

ભરૂચ નગરના લાલબજાર વાલ્મિકી સમાજના યુવાન કમલેશભાઈ સોંલકી ની અખિલ ભારતીય વાલ્મિકી મહાપચાયત યુવા મોરચા ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદે નિમણુક થતાં ભરૂચ જિલ્લા ના વાલ્મિકી સમાજમાં આનંદ અને ગૌરવની લાગણી ફેલાઈ ગઇ છે. ભરૂચ નગરના લાલબજાર વાલ્મીકીવાસ વિસ્તાર માં રહેતા કમલેશભાઈ કલ્યાણ ભાઈ સોંલકીઍ સમાજ ના હિતમાં કરેલ કાર્યો ને ધ્યાનમાં લઈને આ અતિ મહત્વના હોદ્દા પર તેમની નિમણુક કરવામાં આવી છે. કમલેશભાઈ સોંલકી ઘણા લાંબા સમય થી સમાજની વિવિધ સમસ્યાઓને વાચા આપતાં રહ્યા છે. ખાસ કરીને વાલ્મિકી સમાજના યુવાનો સામે અનેક પડકારો અને સમસ્યાઓ છે આવા પડકાર અને સમસ્યાઓને વાચા આપવામાં અને તેનો ઉકેલ લાવવામાં કમલેશભાઈ સફળ સાબિત થયા છે તેમની આ નિમણુંક ના પગલે સમાજમાં આંનદ ની લાગણી ફેલાઈ ગઇ છે.

Advertisement

Share

Related posts

રાજપીપલા : નર્મદા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને રાષ્ટ્રીય મહિલા આયોગના સંયુક્ત ઉપક્રમે મહિલા કાનૂની શિક્ષણ શિબિરનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : ગરીબ નવાજની શાનમાં ગુસ્તાખી કરનાર સંત વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા મુસ્લિમ સમાજની માંગણી.

ProudOfGujarat

જાંબુઘોડાના પ્રકૃતિ પ્રેમી પુષ્પેન્દ્રસિંહ રાઠોડે Facebook ના માધ્યમ વડે મિત્રોએ ભેગા કર્યા અને કરાવ્યું વનભ્રમણ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!