Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં સુરતી ભાગોળ વિસ્તાર ઝુંપડપટ્ટીમાં ભીષણ આગ લાગી.

Share

અંકલેશ્વરનાં ભરચક એવા સુરતી ભાગોળ વિસ્તારમાં આજે તારીખ 9/12/2020 નાં રોજ અચાનક અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. જોત જોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અચાનક લાગેલ આગનાં પગલે સુરતી ભાગોળ વિસ્તારની ઝુંપડપટ્ટી તેમજ આજુબાજુનાં વિસ્તારમાં અફરાતફરીનું વાતાવરણ સર્જાઈ ગયું હતું. ત્રણથી ચાર જેટલા ઝૂંપડાઓ આગની લપેટમાં આવી જતા ઝુંપડામાંની ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી. શ્રમજીવી અને ગરીબ વર્ગનાં લોકોને ખુબ મોટું આર્થિક નુકસાન થયું હતું તેથી વધુ કડકડતી આ ઠંડીના દિવસોમાં ઝુંપડપટ્ટીમાં રહેનારાઓ છત વિહોણા થઈ ગયા હતા. નાના બાળકો અને મહિલાઓની પરિસ્થિતિ દયાજનક થઈ ગઈ હતી. અંકલેશ્વર ફાયર બ્રિગેડનાં જવાનોએ ત્વરિત અને અસરકારક કામગીરી કરતા કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ ઝુંપડાઓ બળીને ખાખ થઈ ગયા હતા.

Advertisement

Share

Related posts

રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લેસર શો નાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો.

ProudOfGujarat

ભરૂચ : સેવા યજ્ઞ સમિતિ સંસ્થા દ્વારા જરૂિયાતમંદોને ભોજન કરાવવામાં આવ્યું

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણનાં નવા ૦૯ કેસો નોંધાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!