Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં સુરતી ભાગોળ વિસ્તાર ઝુંપડપટ્ટીમાં ભીષણ આગ લાગી.

Share

અંકલેશ્વરનાં ભરચક એવા સુરતી ભાગોળ વિસ્તારમાં આજે તારીખ 9/12/2020 નાં રોજ અચાનક અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. જોત જોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અચાનક લાગેલ આગનાં પગલે સુરતી ભાગોળ વિસ્તારની ઝુંપડપટ્ટી તેમજ આજુબાજુનાં વિસ્તારમાં અફરાતફરીનું વાતાવરણ સર્જાઈ ગયું હતું. ત્રણથી ચાર જેટલા ઝૂંપડાઓ આગની લપેટમાં આવી જતા ઝુંપડામાંની ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી. શ્રમજીવી અને ગરીબ વર્ગનાં લોકોને ખુબ મોટું આર્થિક નુકસાન થયું હતું તેથી વધુ કડકડતી આ ઠંડીના દિવસોમાં ઝુંપડપટ્ટીમાં રહેનારાઓ છત વિહોણા થઈ ગયા હતા. નાના બાળકો અને મહિલાઓની પરિસ્થિતિ દયાજનક થઈ ગઈ હતી. અંકલેશ્વર ફાયર બ્રિગેડનાં જવાનોએ ત્વરિત અને અસરકારક કામગીરી કરતા કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ ઝુંપડાઓ બળીને ખાખ થઈ ગયા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચના ઝાડેશ્વર રોડ ઉપરના શ્રી રંગ પેલેસ કોમ્પલેક્ષ મારામારી ની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ.

ProudOfGujarat

ચમેલી અને ગીતાથી લઈને ફોર મોર શોટ્સ પ્લીઝ! ની છોકરીઓ સુધી: PNC એ ફિલ્મો અને વેબ શો માટે કેટલાક યાદગાર સ્ત્રી પાત્રો બનાવ્યા છે – અને અમને તેનો ગર્વ છે.

ProudOfGujarat

નેતાજી એ નોટો વહેંચી.? ભરૂચની વાગરા વિધાનસભા બેઠક જીતવા માટે થયા કરોડોના ખેલ..? શું લોકો સુધી વહેંચાઇ રહ્યા છે કવરો…?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!