Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ ગુરુદ્વારા ખાતે ગુરુ ગોવિંદસિંહજીની 354 મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી.

Share

ભરૂચનાં કસક પાસે આવેલા ગુરુદ્વારા ખાતે ગુરુ ગોવિંદસિંહજીની 354 મી જન્મ જયંતિની સાદગીથી ઉજવણી કરવામાં આવી હતી.

શીખ ધર્મનાં 10 માં ગુરુ ગોવિંદસિંહજીની 354 મી જન્મ જયંતિની ઉજવણી આજે કસક ખાતે આવેલા ગુરુદ્વારામાં કરવામાં આવી હતી. શીખ સમુદાયનાં લોકો આજે યોજાયેલ ગુરુ ગોવિંદસિંહજીનાં જન્મોત્સવને પ્રકાશ પર્વ તરીકે ઉજવે છે. આ વર્ષે કોરોના મહામારીનાં કારણે અત્યંત સાદગીપૂર્વક શીખ સમાજ દ્વારા આ પ્રકાશ પર્વની ઉજવણી કરાઇ હતી.

ભરૂચ ગુરુદ્વારાનાં જસબીરસિંહ અને ત્યાં વસવાટ કરતાં શીખ સમુદાયનાં લોકોએ આ તકે જણાવ્યુ હતું કે ગુરુ ગોવિંદસિંહ શીખ ધર્મનાં 10 માં ગુરુ માનવમાં આવે છે. જેમણે અમૃત પાન કરી શીખ ધર્મની સ્થાપના કરી શીખ ધર્મને વિશ્વ વિખ્યાત બનાવ્યો છે. શીખ ધર્મની રક્ષા માટે ગુરુ ગોવિંદસિંહજીએ આપેલા બલિદાનો શીખ સમાજ કયારેય ભૂલી શકશે નહીં તથા ગુરુ ગોવિંદસિંહ શીખ સમાજમાં કલગીઘર પિતા કહેવાય છે. આજે તેમના જન્મદિન નિમિત્તે ગુરુદ્વારામાં લંગરનું પ્રસાદ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

અંક્લેશ્વરની સિદ્દી સમ્રાટ ડાય કેમ કંપનીના બે માલિક સહિત 4ની ધરપકડ

ProudOfGujarat

અંકલેશ્વરમાં તસ્કરોનો આતંક યથાવત, નવા બોરભાઠા ગામના પટેલ ફળીયા વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવી હજારોની ચોરીની ઘટનાને અપાયો અંજામ..!

ProudOfGujarat

ભરૂચ : એક્ટિવા ચોરી કરવાની ટેવ ધરાવતો ઈસમ આખરે જેલના સળિયા પાછળ, ચોરીની ત્રણ એક્ટિવા સાથે એકને ઝડપી પાડતી બી ડિવિઝન પોલીસ..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!