Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયાનાં નાનાસાંજા ગામનાં વેપારી સાથે ત્રણ ઇસમો દ્વારા રૂ. એક લાખ ઉપરાંતની ઠગાઇ.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાનાં નાનાસાંજા ગામે રહેતા સંદિપસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ નાનાસાંજા ગામે પશુઆહાર વેચવાનો ધંધો કરે છે. તેઓ તેમની દુકાનમાં વિવિધ જાતના પશુ આહારનું વેચાણ કરે છે. તા.૩ ના રોજ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કઠોદરા ગામનો સિરાજ મુસા સિદાન અને અને અન્ય બે ઇસમોએ આ પશુ આહારની દુકાને આવીને ૫૦ કિલોની ૭૦ બેગ અને ૪૦ કિલોની ૫ બેગ મળીને કુલ રૂ.૧૦૫૭૫૦ ની કિંમતની કુલ ૭૫ બેગ પશુ આહારની ખરીદી હતી. ખરીદી કર્યા પછી આ ઇસમોએ દુકાનદાર સંદિપસિંહને સામાનના પૈસા ચુકવ્યા ન હતા. આમ સામાન ખરીદીને તેના આપવાના થતાં પૈસા નહિં આપીને ઠગાઇ કરી હતી. આ ઘટનામાં ઠગાઇનો ભોગ બનનાર પશુ આહારના વેપારી સંદિપસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ રહે.નાનાસાંજા તા.ઝઘડીયા જિ.ભરૂચ નાએ ખરીદી કરીને પૈસા નહિં આપનાર એક ઇસમ સામે નામ જોગ અને અન્ય બે અજાણ્યા ઇસમો મળી કુલ ત્રણ ઇસમો સામે ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ ના જુના તવરા ખાતે ક્ષત્રિય સમાજે રૂપાલા સામે કર્યું વિરોધ પ્રદશન, ભાજપ ના નેતાઓ ની ફરમાવી પ્રવેશ બંધી

ProudOfGujarat

ભરૂચ દહેજ ખાતે આવેલ બાયોસ્કેપ કંપનીમાં એક મહિલા કામદારનું મોત : બે ને પહોંચી ગંભીર ઇજા.

ProudOfGujarat

વાંકલ એન.ડી.દેસાઈ હાઇસ્કુલના ચાર વિધાર્થીઓની રમતગમત ક્ષેત્રે રાજ્યકક્ષાની સ્પર્ધા માટે પસંદગી પામ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!