Proud of Gujarat
FeaturedGujaratINDIA

તાઉ-તે વાવાઝોડાને કારણે ભરૂચ જિલ્લાના ખેડૂતોનાં પાકોમાં તબાહી…

Share

ભરૂચ જિલ્લાના વાગરા અને જંબુસર તાલુકાના દરિયા કાંઠે આવેલાં આસપાસના ગામોમાં સંભવિત વાવાઝોડાની નુકશાની ન થાય અને એક પણ માણસને જાનહાનિ ન થાય તે માટે ભરૂચ જિલ્લા કલેકટર ડૉ. એમ.ડી.મોડિયા અને વહીવટી તંત્ર ખડે પડે કામગીરી કરી રહ્યુ છે.પરંતુ કુદરતી આફતને કાબુમાં લેવું અશક્ય છે તે જ રીતે ભરૂચના કેટલાય ગામોના સીઝનલ પાકોમાં નુકશાન થયું છે જેને પગલે ખેડૂતોમાં ભારે ચિંતા દેખાઈ રહી હતી. ભારે પવન ફૂંકાવાને કારણે તાલાલા ગામના ખેતરોમાં કેરીઓ ખરી પડતા ખેડૂતોને કરોડોનું નુકશાન ભોગવાનો વારો આવ્યો છે, ભરૂચના અંતરિયાળ વિસ્તાર સહિત અંકલેશ્વર, વાલિયા અને નેત્રંગ ખાતે કેળ, પપૈયા અને કેરીના પાકને મોટુ નુકશાન થયું હતું.

નુકશાન થવાથી ખેડૂતમાં માતમનો માહોલ સર્જાયો હતો. ગરીબ ખેડૂત જેનો નિર્ધાર ખેતી જ હોય છે તેવા ખેડૂતોને ભારી હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા : આશા વર્કર બહેનોને સરકારી કર્મચારી ઘોષિત કરી લઘુતમ વેતન ૧૮ હજાર લાગુ કરવાની માંગ સાથે નર્મદા જિલ્લા કલેકટરને આવેદન

ProudOfGujarat

ભરૂચ : ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુવા ઉત્થાન સંસ્થા દ્વારા ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

નડિયાદમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા નશા મુક્ત સપ્તાહ ઉજવણી કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!