Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત: પોલીસની દાદાગીરી : નાના વરાછામાં લારીવાળાને જવા દેવાની વિનંતી કરનાર વેપારીને કાપોદ્રા પોલીસે ઢોર માર માર્યો

Share

નાના વરાછા પોલીસ ચોકીએ લઇ જઇ રહેલા લારીવાળાને છોડી દેવા વિનંતી કરતા વેપારીને પોલીસે ઢોરમાર મારતા તે બેભાન થઇ ગયો હતો. નાના વરાછા જલારામ સોસાયટીમાં રહેતા સ્ટીલના પાઇપના વેપારી 35 વર્ષીય નરદીપસિંહ શોલુભાઈ ગોહિલ 16મી તારીખે દુકાન બંધ કરીને ઘરે જઇ રહ્યા હતા ત્યારે પોલીસવાળા એક લારીવાળાને ચોકીમાં લઈ જઇ રહ્યા હતા.

નરદીપે પોલીસને લારીવાળાને જવા દેવા વિનંતી કરી હતી.નરદીપની વાતથી ઉશ્કેરાયેલા પોલીસ વાળાઓ તેને પણ બાઈકથી ખેંચીને ચોકી લઈ ગયા હતા. ચોકીમાં નરદીપને ગાળો આપીને બે પોલીસવાળા નરદીપના પગ પર ઉભા રહીને દંડાથી પગ, પેટ અને મોઢાના ભાગે માર માર્યો હતો. મોઢામાંથી લોહી નીકળતા નરદીપને તેના પિતાને ફોન કરવા દીધો હતો. ત્યાર બાદ નરદીપ થોડીવાર સુધી ચોકીમાં બેભાન રહ્યો હતો.

Advertisement

નરદીપના પિતા તેને હોસ્પિટલ લઇ ગયા હતા. ધક્કા ખાધા કાપોદ્રા પોલીસે પોલીસકર્મી દિલીપ ડી રાઠોડ, સંજય કણજારિયા , જય અને હરદીપ સામે ફરિયાદ નોંધી છે. 16 તારીખે પોલીસે માર માર્યો હતો. અમે ફરિયાદ કરવા તો પોલીસે ફરિયાદ લીધી ન હતી. પોલીસ કમિશનરને રજુઆત કરી છતાં તાત્કાલિક ફરિયાદ નોંધાઇ ન હતી. એટલું જ નહીં પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરવા અમારા પર ઘણું દબાણ કરાયું હતું. અંતે ગૃહ વિભાગને ફરિયાદ કરતા કાપોદ્રા પોલીસે સામાન્ય કલમ હેઠળ ફરિયાદ નોંધી.


Share

Related posts

GVK-EMRI-૧૦૮ એમ્બ્યુલન્સ સેવાના માધ્યમથી રાજપીપળાના કર્મયોગીઓ માટે પ્રથમ મદદગાર (First Responder) ની એક દિવસીય યોજાયેલી તાલીમ શિબિર

ProudOfGujarat

વાપીનાં સંજાણમાં રેલવે ફ્લાય ઓવરમાં ભ્રષ્ટાચાર કરાયો હોવાની આશંકા

ProudOfGujarat

ભરૂચમાં લાખોના કથિત ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર RTI એક્ટિવિસ્ટ જેરામ ગલચરની સ્થિતિ PIU વિભાગે ફૂટબોલ સમાન બનાવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!