Proud of Gujarat
FeaturedGujaratINDIA

સાબરકાંઠા : ઈડર તાલુકાનાં ગણેશ મંદિરે આજે બોળચોથ હોવાથી ભક્તોની ભીડ જામી.

Share

શ્રી સિદ્ધિવિનાયક ગણેશ મંદિર ખરાદી બજાર ઈડરમાં તાલુકાનું એકમાત્ર પૌરાણિક વર્ષો જૂનું સિદ્ધિવિનાયક ગણેશજીનું મંદિર આવેલું છે જેને ઉંદરિયા મહાદેવ તરીકે પણ લોકો ઓળખે છે આજે સંકષ્ટી ચોથ અને બોળચોથ હોવાથી ભક્ત સમુદાય અસંખ્ય પ્રમાણમાં સવારથી સાંજ સુધી ભક્તોની ભારે ભીડ જોવા મળે છે જ્યાં લોકોના ઘરે ઉંદર નુકસાન પહોંચાડતા હોય તો આ મંદિર ઉપર ભક્તો આવી અને અપાર શ્રદ્ધાથી બાધા રાખે છે જેથી તેમના ઘરે શાંતિ થાય છે અને સુખ-સમૃદ્ધિ સંતાન પ્રાપ્તિની પણ અહીંયા ખૂબ જ શ્રદ્ધાથી મનોકામના પૂર્ણ થાય છે. મંદિરની બાજુમાં પૌરાણિક ભાષામાં એક લેખ પણ છે લોકોનું માનવું છે ગણેશ દાદાની બાધા રાખવાથી સર્વેની મનોકામના પૂર્ણ થાય છે.

મયુર ઉપાધ્યાય

Advertisement

Share

Related posts

મક્તમપુર ખાતે નેત્ર નિદાન કેમ્પ યોજાયો, 175 લોકોએ લાભ લીધો

ProudOfGujarat

પાલેજ રેલ્વે સ્ટેશન નજીક નવજીવન એક્સપ્રેસ ટ્રેનથી રન ઓવર થતાં  યુવકનું કરૂણ મોત..

ProudOfGujarat

પરિવાર બહારગામ ગયો ને તસ્કરોનો ઘરમાંથી 2.84 લાખનો હાથફેરો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!