Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શક્તિનાથ પાણીની ટાંકીમાંથી અપાતો પાણી પુરવઠો એક દિવસ માટે બંધ રહેશે.

Share

ભરૂચ નગર પાલીકાના મુખ્ય અધિકારી સંજય સોની દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે આવતી કાલે તારીખ ૧૫/૦૯/૨૦૨૧ ના બુધવારના રોજ શક્તિનાથ પાણીની ટાંકીમાંથી આપવામાં આવતાં પાણીના જથ્થા ઉપર એક દિવસ કાપ મુકવામાં આવ્યો છે, જેથી વિસ્તારના લોકોએ પાણીને સંગ્રહ કરી વાપરવા માટેની અપીલ કરવામાં આવી છે.

શક્તિનાથ અંદર ગ્રાઉન્ડ સંપ અને પાણીની ટાંકીની સાફ સફાઈ કરવાની હોવાથી રાબેતા મુજબ આપવામાં આવતા જથ્થા ઉપર એક દિવસ માટે કાપ મુકવાનો નિર્ણય પાલીકા દ્વારા લેવામાં આવ્યો છે અને તારીખ ૧૬/૦૯/૨૦૨૧ થી આ જથ્થો રાબેતા મુજબ શહેરી જનોને આપવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે, જેની શક્તિનાથ પાણીની ટાંકી થકી વપરાશમાં લેતા વિસ્તારના લોકોએ નોંધ લેવા માટે જણાવવા આવ્યું છે.

Advertisement

Share

Related posts

ઉમરપાડામાં વરસાદ અને વાવાઝોડાથી ડાંગરનાં પાકને વ્યાપક નુકસાન થવાથી આદિવાસી ખેડૂતોની હાલત કફોડી બની.

ProudOfGujarat

ઝઘડીયા ગેંગરેપ પ્રકરણના આઠ પૈકી સાત આરોપીઓના બીજા બે દિવસના રીમાન્ડ મંજુર.

ProudOfGujarat

શહેરા મામલતદાર જી.એમ.વણઝારા વયનિવૃત થતા વિદાય સભારંભ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!