Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ગણેશ ખાંડ ઉદ્યોગ વાલિયા બાબતે ખોટા સમાચારો છાપવા બદલ કોંગ્રેસી અગ્રણી સંદીપ માંગરોલાએ ગુજરાત રાજ્ય ખાંડ નિયામકને લેખિત રજૂઆત કરી.

Share

આજના 18 મી સપ્ટેમ્બરનાં છાપાઓમાં સમાચારોમાં જણાવામાં આવ્યુ હતું કે, ગણેશ સુગર ખાંડનો એક્સપોર્ટ કરવામાં આવેલો જથ્થો પ્રતિ ક્વિન્ટલ સો થી દોઢ સો રૂપિયાના નીચા ભાવે વેચાણ કરવામાં આવી રહયું છે તેથી કોંગ્રેસી અગ્રણી સંદીપ માંગરોળના મત મુજબ આ મનઘડત અને બેબુનિયાદ આક્ષેપો સંસ્થાને બોર્ડમાં રહીને નુકશાન કરવાના હેતુથી અરજદાર ડિરેકટર કરી રહ્યા છે.

દક્ષિણ ગુજરાતની અન્ય સુગર ફેક્ટરીઓના એક્સપોર્ટના સોદાના નક્કી થયેલા ભાવો સાથે તુલના થાય તે હેતુથી તાત્કાલિક આ અંગેની ઇન્કવાયરી કરી આક્ષેપો કરનારા ડિરેક્ટરો ધર્મેન્દ્રસિંહ મહિડા, સુરેન્દ્રસિંહ પરમાર, પ્રતાપસિંહ માટીએડા અને હેતલ કુમાર પટેલ નાઓને ખોટા સાબિત કરી તેઓ સામે સહકારી કાયદાની જોગવાઈ મુજબ સંસ્થાની શાખને નુકશાન પહોંચાડી કમિટીના હોદ્દા ઉપરથી સહકારી કાયદાની કલમ 76 હેઠળ દૂર કરવી જોઈએ. તેઓ દ્વારા અગાઉ પણ સંસ્થાનને બદનામ કરવા અનેક ખોટા પ્રયત્નો કરવામાં આવ્યા છે.

Advertisement

જેને પગલે કોંગ્રેસી અગ્રણી સંદીપ માંગરોલે આ કૃત્ય કરવા બદલ હોદ્દા પરથી ચારેય ડિરેક્ટરોને દૂર કરવા તેમજ અન્ય લાગુ પડતી જોગવાઈ અંગેની કાર્યવાહી કરવા માંગ કરી હતી.


Share

Related posts

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભરૂચના દહેજ ખાતે રાવણ દહનની જેમ ડ્રગ્સ રૂપી બુરાઈ દહન : રૂા.૩૮૧ કરોડના ડ્રગ્સના જથ્થાનો નાશ કરાયો

ProudOfGujarat

ભરૂચ સિવિલ હોસ્પિલમાંથી બે કેદીઓ ફરાર.

ProudOfGujarat

શહેરાનગરમા અણિયાદ ચોકડી વિસ્તારમા આવેલી ગ્રીનપાર્ક સોસાયટીમાં આવેલા એક બંધ મકાનને તસ્કરો નિશાન બનાવી સોનાચાદીના દાગીનાની ઊંઠાતરી કરી ફરાર થઈ ગયા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!