Proud of Gujarat
FeaturedGujaratINDIA

કીમ ખાતે આવેલા એલ.સી. નં.૧૫૮ પરના માર્ગને  ૩૧મી ડીસેમ્બર સુધી ડાયર્વટ કરાયો.

Share

જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ વાય. બી. ઝાલા દ્વારા એક જાહેરનામા દ્વારા સાહોલ-કીમ-માંડવી રોડના કીમી ૧૦/૪ પર કીમ ગામમાં આવેલા એલ.સી. નં.૧૫૮ (સાયણથી કીમ સ્ટેશન વચ્ચે) પર આર.ઓ.બી. બાંધવાની કામગીરી શરૂ હોવાથી આ રસ્તા પરથી (બન્ને તરફના) વાહનો પરનો પ્રતિબંધ લંબાવીને તા.૩૧/૧૨/૨૦૨૧ સુધી કરવામાં આવ્યો છે. જેથી વાહનોની અવર જવર કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ સમય દરમિયાન વૈકલ્પિક રીતે ડાયવર્ઝન તરીકે નીચે મુજબ માર્ગ પરથી વાહનો પસાર થઈ શકશે.

(૧) ને.હા.નં. ૪૮ થી આંબોલી થઇને કઠોર-વેલંજા-સાયણ-સાંધિયેર-ઓલપાડ-માસમા-સરોલી- સુરત રૂટ પર બંને તરફ જઇ શકશે.
(૨) અંકલેશ્વર તથા આજુબાજુથી આવતા વાહનો ને.હા. નં.૪૮ થી કોસંબા ચોકડીથી કોસંબા- ખરચ-પાંજરોલી-ઓભા-સાહોલ-કદરામા-ઓલપાડ-માસમા-સરોલી થઇ સુરત રૂટ પર બંને તરફ જઇ શકશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

અંકલેશ્વરનાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા યુવાનો દ્વારા વ્રુક્ષારોપાણ કરાયું

ProudOfGujarat

અંકલેશ્વરના સંજાલી ખાતેથી બોગસ ડોક્ટરને ઝડપી પાડતી એસ.ઓ.જી ભરૂચ

ProudOfGujarat

અંકલેશ્વરમાં બે સ્થળે ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા, લાખોના મુદ્દામાલ સાથે ૧૧ જુગારીઓ ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!