Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : નબીપુર રેલવે સ્ટેશન પર અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળ્યો.

Share

નબીપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પરથી એક 66 વર્ષના આશરાના વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગતરોજ તા. 11/10/2021 ના એક 66 વર્ષની ઉંમરના વૃદ્ધનો મૃતદેહ મળી આવતા ભરૂચ રેલવે પોલીસે તપાસ હાથ ધરી હતી. વૃદ્ધ કોઈ બીમારીને કારણે મૃત્યુ પામ્યો હોવાનું પોલીસનું અનુમાન છે.

ભરૂચ રેલેવે પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ દિનેશભાઇએ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી કરી મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવી મરનારના વાલીવારસોની શોધના ચક્રો ગતિમાન કર્યા છે. મરનારે ગુલાબી રંગનો આખી બાયનો શર્ટ તથા ભૂરા રંગનું પેન્ટ પહેરેલ છે. વાલી વારસોએ ભરૂચ રેલવે પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે.

Advertisement

યાકુબ પટેલ, પાલેજ


Share

Related posts

ભરૂચ : અંકલેશ્વરના સુરવાડી રેલ્વે ઓવરબ્રિજ પરથી પટકાતા યુવાનનું રહસ્યમય મોત..

ProudOfGujarat

ભરૂચ ખાતે ખત્રી સમાજ દ્વારા સાદાઈ પૂર્વક કાજરા ચોથની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

પંચમહાલ : આમ આદમી પાર્ટી દ્વારા ઓછા વરસાદને કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં ખેડૂતોને સહાય આપવા તંત્રને આવેદનપત્ર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!