Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : મક્તમપુરમાં આવેલ ગાયત્રીનગર સોસાયટીમાં રૂા. 2.60 લાખ કરતા વધુ મતાની ચોરી કરી તસ્કરો ફરાર.

Share

ભરૂચના મક્તમપુર વિસ્તારમાં આવેલ ગાયત્રીનગર સોસાયટી ખાતે તાજેતરમાં ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો. આ ચોરીના બનાવમાં તસ્કરોએ સોનાં ચાંદીના દાગીના અને રોકડા નાણાં મળી કુલ રૂ 2.60 લાખ કરતા વધુની મતાની ચોરી કરી હતી.

આ ચોરીના બનાવ અંગે હરિનભાઈ મધુસુદન જોષી રહે. વડોદરા એ સી ડિવિઝન પોલીસ મથક ખાતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ હરિન જોશીના માતા પિતા ભરૂચ મક્તમપુર ગાયત્રીનગરના મકાનમાં રહેતા હતાં. પરંતુ તેઓ તા. 4/12/21 થી તા. 12/12/21 દરમિયાન મકાન બંધ કરી મુંબઈ ગયા હતાં તે દરમિયાન તસ્કરોએ મકાનને નિશાન બનાવી ચોરી કરી હતી. તસ્કરોએ ગ્રીલ તેમજ મુખ્ય દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કરી તિજોરી તોડી રૂ. 2.51 લાખની કિંમતના સોનાં ચાંદીના દાગીના અને રોકડા રૂ. 15 હજારની ચોરી કરી હતી. આ બનાવની તપાસ સી ડિવિઝન પોલીસના પી.આઈ ડી. પી ઉનડકટ તપાસ કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ટંકારીયા ખાતે યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં વાગરાની ટીમનો ભવ્ય વિજય…

ProudOfGujarat

વડોદરા આર.આર સેલની ટીમે અંકલેશ્વર નજીક હાઈવે પરથી ચોરી ની પ્લેટ સાથે આઆરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ProudOfGujarat

અંકલેશ્વર : ધડાકાભેર દુકાનમાં જીપ ઘુસી જતા અફરાતફરી સર્જાઇ, પછી શું થયું..!! જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!