Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ઉડયા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા.

Share

૧૯ મી ડિસેમ્બરે નર્મદા જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં ગ્રામપંચાયતોની ચૂંટણી યોજાઈ ગઈ જેમાં નર્મદા જિલ્લામાં પણ 184 ગ્રામ પંચાયતની ચૂંટણી પણ થઈ ગઈ અને તેના પરિણામો પણ આવી ગયા. પરંતુ આ ચૂંટણી પ્રક્રિયાથી માંડીને ગણતરીની પ્રક્રિયા સુધીમાં કોવિડ 19 ના નિયમોનો સરેઆમ ભંગ થતો જોવા મળ્યો. ચૂંટણીના દિવસે પણ મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા માટે ગયા હતા ત્યારે ક્યાંયે સોશિયલ ડિસ્ટન્સનું પાલન થયેલુ જોવા મળ્યું ન હતું. મોટાભાગના એ માસ્ક સુધા પહેર્યા નહોતા. એટલું જ નહીં ગણતરીના દિવસે તો હદ થઈ ગઈ. પાંચેય તાલુકાના દરેક મત ગણતરી કેન્દ્ર ઉપર હજારોની સંખ્યામાં ઉમેદવારો અને તેના સમર્થકોના ટોળેટોળા ઉમટયા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં હજારોની સંખ્યામાં લોકોના ટોળા સાથે વિજય સરઘસ નિકળ્યા. તેમાં ક્યાંય સોશિયલ ડિસ્ટન્સનું પાલન થયેલું જોવા ન મળ્યું. દરેક જગ્યાએ રીતસરના સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા. મોટાભાગના લોકોએ તો માસ્ક પહેર્યું જ નહતું. સેનેટાઈઝરનો પણ કોઈએ ઉપયોગ કરેલો નહોતો જણાતો. લોકો વિસરી ગયા હતા કે કોરોના નાબૂદ થઈ ગયો છે પણ કોરોના હજુ ગયો નથી. ડેલ્ટા વેરિએન્ટ અને એમીક્રોન જેવા વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે નર્મદા જિલ્લામાં સોશિયલ ડિસ્ટન્સના ઉડેલા ધજાગરા કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યા છે. વહીવટીતંત્રથી માંડીને પોલીસ તંત્ર પણ આ બાબતે ખાસ સક્રિય જોવા મળ્યું નહીં! ખાસ કરીને સૌથી વધુ નિષ્ક્રિય તો પ્રજા પોતે હતી. જેણે કોઈપણ સોશ્યલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કર્યું ન હતું. આગે વહીવટીતંત્ર અને આમ જનતા બંને સજાગ નહીં બને નર્મદા જિલ્લામાં ફરી એકવાર કોરોનાની ત્રીજી લહેર આવે તો નવાઈ નહીં.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

સ્કંદ પુરાણ અને ભવિષ્યોત્તર પુરાણ પ્રમાણે જેઠ મહિનાની પૂનમના દિવસે વટ સાવિત્રી વ્રત ઉજવાય ..જાણો શા કારણે ઉજવાય છે વટ સાવિત્રી વ્રત ..?

ProudOfGujarat

ઝઘડિયા ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા ત્રણ વીજ સબસ્ટેશનોનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

નેત્રંગ પોલીસ સ્ટેશનમાં નંધાયેલ પ્રોહિબિશનના ગુનાનો ન‍ાસતો ફરતો આરોપી ઝડપાયો ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!