Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદમાં આ વિસ્તારોમાં બનશે નવા 3 બ્રિજ, ફાટક મુક્ત શહેર કરવા આ નિર્ણય.

Share

અમદાવાદમાં હજૂ પણ કેટલાક વિસ્તારોમાં ફાટકો છે. જેથી એએમસી દ્વારા અમદાવાદ ફાટક મુક્ત અભિયાન અંતર્ગત 3 નવા બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદની રોડ એન્ડ બિલ્ડીંગ કમિટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે માટે 308 કરોડના ખર્ચ મનપા રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીએ મંજૂર કર્યા છે.

ખાસ કરીને શહેરમાં પશ્ચિમ વિસ્તારો જેવા કે હેબતપુર, બુટભવાની ફાટક અને મકરબા આ ત્રણ જગ્યા પર અન્ડરબ્રિજ બનાવવાનો નિર્ણય કમિટી દ્વારા લેવામાં આવ્યો છે. અમદાવાદમાં અન્ય કેટલીક જગ્યાએ પણ ફાટકો છે ત્યારે અત્યારે આ પશ્ચિમના આ 3 વિસ્તારોમાં રેલ્વે ક્રોસિંગને ફાટકમુક્ત બનાવવાનો નિર્ણય કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે. 3 ફાટકો બનાવવા માટે ખર્ચની વહેંચણી થશે જેમ કે, રેલ્વે વિભાગ અને ભારત સરકાર દ્વારા અડધું બજેટ ખર્ચ માટે આપવામાં આવશે આ ઉપરાંત સરકારના રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગ દ્વારા પણ આ ખર્ચ આપવામાં આવશે.

Advertisement

ખાસ કરીને અમદાવાદમાં અન્ય એક સમસ્યા પડી રહેલા મોટા ખાડાઓ અને ભૂવાઓની છે ત્યારે આ કામને લઈને પણ આજે ચર્ચા થઈ હતી ત્યારે આગામી 15 સપ્ટેમ્બર પહેલા શહેરમાં પડેલા ખાડાઓ પૂરવાની સૂચના પણ જે-તે વિભાગને સોંપી દેવાઈ છે. અમદાવાદમાં 23 હજારથી પણ વધુ ખાડાઓ અને 85 આસપાસ ભૂવાઓ પડી ગયા છે. જેમાં મોટોભાગના ભૂવાઓ અને ખાડાઓ પૂરવાના કામો થઈ રહ્યા છે.


Share

Related posts

ગોધરા તાલુકાના બખખર ગામે ભાજપા સ્થાપનાદિનની કરાઇ ઉજવણી.

ProudOfGujarat

ઝઘડિયાથી નીકળેલ ટેન્કર ચાલકે કોસ્ટીક સોડા લાઇ સગેવગે કરતાં ફરિયાદ નોંધાઈ.

ProudOfGujarat

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુણધા ગામે ગાયબ થઇ ગયેલા બે માસૂમ સગાભાઇઓની લાશ ગામના એક કૂવામાંથી મળી આવી હોવાની ઘટનાએ આખા પંથકમાં ચકચાર મચાવી મૂકી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!