Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ : કોરોનાની દહેશત વચ્ચે કાંકરીયા કાર્નિવલનો સમય બદલવામાં આવ્યો

Share

અમદાદાવાદમાં કાંકરીયા કાર્નિવલનો શુભારંગ ગઈકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરાવવામાં આવ્યો છે પરંતુ હવે કોરોનાની દહેશત વચ્ચે કાંકરીયા કાર્નિવલના સમયગાળામાં ફેરફાર કરવામાં આવ્યો છે. કાંકરીયા કાર્નિવલ હવે 7 વાગ્યાની જગ્યાએ એક કલાક વહેલા એટલે કે, 6 વાગે શરુ થશે. કાંકરીયા કાર્નિવલ એક કલાક વહેલો પૂર્ણ કરવામાં આવશે. કાંકરીયા કાર્નિવલ ગઈકાલે 10 વાગ્યા સુધીલ રાત્રે ચાલ્યો હતો ત્યારે હવેથી કાર્નિવલ 9 વાગ્યે બંધ થશે. સમય એક કલાક ઘટાડવામાં આવ્યો છે.

કાંકરીયા કાર્નિવલચ ગત વખતે યોજાયો નહોતો જોકે, કોરોનાને જોતા આગળના વર્ષે પણ કાર્નિવલ થઈ શક્યો નથી ત્યારે આ વખતે રંગેચંગે આયોજન કરવામાં આવ્યું છે. તેવામાં કોરોનાનો ભય પણ છે ત્યારે નવા વેરીયન્ટના ભય વચ્ચે સાવચેતીને ભાગરુપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Advertisement

કાંકરીયા કાર્નિવલ ગઈકાલથી લઈને 31 ડિસેમ્બર સુધી ચાલશે. કાંકરિયા કાર્નિવલમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. આ સાથે કોરોના ગાઈડલાઈન્સનું ખાસ પાલન કરવામાં આવશે. લોકોને માસ્ક પહેરવા માટે પણ અપીલ કરવામાં આવી છે.

કાર્નિવલ દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 100 જેટલા સ્વયંસેવકોને રાખવામાં આવ્યા છે. જે લોકોને કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરવા માટે અનુરોધ કરશે. કાંકરિયા કાર્નિવલમાં કુલ ત્રણ સ્થળોએ ગેટ નંબર 1, 2 અને 3 પર સ્ટેજ બનાવવામાં આવ્યા છે. રાજભા ગઢવી, વિજય સુમવાલા, સાઈરામ દવે, ભૌમિક શાહ અને આદિત્ય ગઢવી સહિતના કલાકારો પરફોર્મ કરશે અને લેસર શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.


Share

Related posts

વાલીયાનાં ચમરીયા ગામનાં બુટલેગરે મંગાવેલ વિદેશી દારૂ ભરેલી કાર છોડી ભાગી ગયા રૂ.3,49,200 નો મુદ્દામાલ ઝડપી લીધો.

ProudOfGujarat

ભરૂચ : નદી કાંઠા વિસ્તારમાંથી મળી આવી અજાણ્યા યુવકની લાશ,જાણો વધુ.

ProudOfGujarat

રક્ષાબંધન ના દીવસે દીલ્હી થી સાયકલ ઉપર પુરા ભારત ની યાત્રાએ નીકળેલ શ્રી આફતાબ ફરીદી આજરોજ અંકલેશ્વર ખાતે આવી પહોંચ્યા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!