Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદમાં કારચાલકે અચાનક ડ્રાઈવર સાઈડનો દરવાજો ખોલતાં બાઈક અથડાતાં મહિલાનું મોત

Share

અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા દયાશંકર ઉપાધ્યાય તેમની પત્ની અને પૌત્રીને લઈને ઓઢવ રીંગરોડ પર મેગ્મા હોટેલમાં સગાઈના પ્રસંગમાં જતાં હતાં. આ દરમિયાન નિકોલ રોડ પર એક કાર તેમની બાઈકની આગળ પસાર થતી હતી. ત્યારે અચાનક આ કારના ચાલકે કારને ધીમી પાડીને ડ્રાઈવર સાઈડનો દરવાજો ખોલી નાંખ્યો હતો. જેથી બાઈક તે દરવાજાને અથડાઈ હતી. બાઈક અથડાતા બાઈક ચાલકની પત્ની નીચે પડી જતાં તેમની આંખો અને કપાળના ભાગમાં ઈજા પહોંચી હતી અને માથાના ભાગેથી લોહી નીકળતું હતું. આ સમયે તેમને 108 બોલાવી હતી પણ 108 ના ડોક્ટરે બાઈક ચાલક દયાશંકરની પત્નીને મૃત જાહેર કર્યાં હતાં.

અહીંથી દયાશંકરે સિવિલ હોસ્પિટલમાં તેમની પત્નીને લઈ જવાનું કહેતાં ત્યાં પણ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતાં. જેથી દયાશંકરે સિવિલ હોસ્પિટલથી જ કાર ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જોખમભર્યું ડ્રાઈવિંગ કરનાર કાર ચાલક સામે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર : લીંબડી ભાજપનાં આગેવાન પ્રકાશભાઇ સોનીને અજાણ્યા શખ્સ દ્વારા ફોન ઉપર ધમકી મળી !

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં મારામારીનાં બે અલગ-અલગ બનાવ સંદર્ભે પોલીસ ફરિયાદ નોંધાઈ.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં સ્ટ્રીટ ફૂડ ફેરિયાઓ માટે તાલીમ યોજાઈ 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!