Proud of Gujarat
FeaturedGujaratINDIA

સમગ્ર દેશના 10 લાખ કર્મચારીઓ આજથી હડતાળ પર, સેલરી થઈ શકે છે લેટ,

Share

અંકલેશ્વર ની 20 બેન્કો ની શાખા બંધ રહી

અંકલેશ્વર
સમગ્ર દેશના 10 લાખથી વધારે બેન્ક કર્મચારીઓ બે દિવસની હડતાળ પર છે. તેઓ ઈન્ડિયન બેન્ક એસોસિયેશન તરફથી વેતનમાં માત્ર 2 ટકાનો વધારો કરવામાં આવ્યો હોવાનો વિરોધ કરી રહ્યા છે. નોંધનીય છે કે, 5મેના રોજ આ મુદ્દે થયેલી બેઠકમાં આઈબીએને પ્રસ્તાવ આપ્યો હતો. કર્મચારીઓનું કહેવું છે કે, વેતનમાં માત્ર 2 ટકાના વધારાનો કોઈ અર્થ નથી. 30 અને 31 મેના રોજ બેન્ક કર્મચારીઓ હડતાલ પર હોવાથી આ મહિનાની સેલરીમાં પણ તકલીફ થઈ શકે છે. તે ઉપરાંત એટીએમ ટ્રાન્ઝેક્શનમાં પણ તકલીફ આવી શકે છે. બેન્ક કર્મચારીઓ ની હડતાળ ના પગલે 20 જેટલી બેન્કો ની શાખા ઓ બંધ રહી

Advertisement

શું છે બેન્ક કર્મચારીની માગણીઓ?

– વેતન નિર્ધારણની પ્રક્રિયા ઝડપથી પૂરી કરવામા આવે.

– વેતન -ભત્થામાં યોગ્ય વધારો કરવામાં આવે

– દરેક ગ્રેડના અધિકારીઓને સામેલ કરવામાં આવે

– અન્ય સેવા શર્તોમાં સુધારો કરવામાં આવે

– આ માગણીઓ વિશે યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યૂનિયન્સ અને આઈબીએ વચ્ચે 2 મે 2017થી 12 નવેમ્બર 2017 દરમિયાન 13 બેઠક થઈ હતી. તાજેતરમાં જ 5 મેના રોજ આ મુદ્દા વિશે અંતિમ વાતચીત પણ કરવામાં આવી હતી. બેન્ક કર્મચારીઓનો વેતન વધારો ગયા વર્ષે નવેમ્બરથી બાકી છે.

બેન્કોમાં 2 દિવસ કામ નહીં થાય

– યૂનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યૂનિયન્સના બેનર અંતર્ગત આ હડતાળ કરવામાં આવી રહી છે. આ ફોરમથી સમગ્ર દેશની 9 બેન્ક યૂનિયનમાં જોડાયેલી છે. તેમાં એસબીઆઈ સહિત અન્ય સરકારી બેન્કોના 10 લાખ કર્મચારીઓ અને અધિકારીઓ સામેલ છે. બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને 1 જૂનની સવાર સુધી આ કર્મચારીઓ બેન્કનું કોઈ કામ નહીં કરે. તેના કારણે બેન્કિંગ સેવાઓ પર અસર થશે અને લોકોને પરેશાની થઈ શકે છે.

ગયા વર્ષે 15 ટકા વધારો અને આ વર્ષે માત્ર 2 ટકા

– 1 નવેમ્બર 2012થી 31 ઓક્ટોબર 2017 સુધીમાં બેન્કના કર્મચારીઓના વેતનમાં 15 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ સંજોગોમાં બેન્ક કર્મચારીઓને આ વખતે આપવામાં આવેલો 2 ટકાનો વધારો મજાક લાગી રહ્યો છે. આઈબીએના જણાવ્યા પ્રમાણે અધિકારીઓની માગ પર વાતચીત સ્કેલ-3 સુધીના અધિકારી સુધી સીમિત રાખવામાં આવશે.

એનપીએના કારણે બેન્કોને નુકસાન, કર્મચારીઓ જવાબદાર નથી- યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ

– IBAએ બેન્કોના નુકસાન વિશે વાત કરીને વેતનમાં 2 ટકાના વધારાનો પ્રસ્તાવ મૂક્યો હતો. બેન્ક કર્મચારી તેને ખોટું ગણાવી રહ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે સરકારી બેન્કોનો ઓપરેટિંગ નફો વધ્યો છે પરંતુ તેના 70 ટકા એનપીએના પ્રોવિઝનિંગમાં જઈ રહ્યો છે.

– યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યૂનિયન્સના સંયોજક દેવીદાસ તુલજાપુરકે કહ્યું કે, નોટબંધ સહિત જન-ધન, મુદ્રા અને અટલ પેન્શન જેવી સરકારી યોજનાઓના કારણે છેલ્લા 2-3 વર્ષથી કર્મચારીઓને ઘણી મહેનત થઈ રહી છે. કર્મચારીઓ પર કામનો બોજો પણ ઘણો વધી ગયો છે.


Share

Related posts

ઝઘડિયા જીઆઇડીસી માં ટેન્કરમાંથી કેમિકલ ચોરી કરતા ત્રણ ઇસમો ઝડપાયા

ProudOfGujarat

સુજલામ સુફલામ જળસંચય યોજના” અંતર્ગત  અભિયાન માં અંકલેશ્વર તાલુકા ના ઉંછાંલી ગામ માં આવેલ સિંચાઈ તળાવ ને પ્રાધાન્ય ના આપતા વિરોધ* 

ProudOfGujarat

૬૧ કિ.મી.ગુજરાતમાં વહેતી નર્મદા નદી મરણ પથારીએ…છેલ્લા ૬૦ કિ.મી.ની ભરૂચ જિલ્લાના નાંદ ગામ પછીની નર્મદા નદી દરિયો બનાવી દેવાય ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!