Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર: નોટીફાઈડ એરિયા ઓથોરીટી દ્વારા રેઇન વોટર હર્વેસ્ટીંગ સેમીનાર યોજાયો હતો.

Share

વિનોદભાઇ પટેલ

પાણીની વિકટ બનતી પરિસ્થિતિને અનુલક્ષીને તથા ભૂગર્ભજળ ખૂબ ઝડપથી ઊંડા જઈ રહ્યા હોય જેના વિશે લોકોને જળસંચય અને જળ સંરક્ષણ વિશે જાગૃત થવા અને ઉંડાણપૂર્વક તકનીકી માહિતી આપી લોકોને આ અભિયાનમાં જોડાવા માટે અંકલેશ્વર જી.આઈ.ડી.સીમાં અંકલેશ્વર નોટીફાઈડ એરિયા ઓથોરીટી દ્વારા રેઇન વોટર હર્વેસ્ટીંગ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જી.આઈ.ડી.સીની વિવિધ સોસાયટીના સભ્યોને જળ સંચય અને જળ સરક્ષણ અંગે માહિતી આપવામાં આવી હતી.આ સેમિનારમાં જે સોસાયટીઓએ જલ સંરક્ષણ કર્યું છે તેવી સોસાયટીઓને પ્રોત્સાહન સ્વરૂપે તેઓના સભ્યોને ૭૫૦૦ થી ૧૫ હજાર સુધીના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.સદર સેમિનારમાં નોટીફાઈડ એરિયા ઓથોરીટીના ચીફ ઓફિસર આર.સી.ચૌહાણ,અશોક ચૌહાણ અને ઉદ્યોગ મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


Share

Related posts

અખાત્રીજના દિવસે રાજ્યના 24 યાત્રાધામો પર સફાઈ ઝૂંબેશ, CM સહિત અનેક નેતાઓ જોડાયા

ProudOfGujarat

અમદાવાદ જીલ્લાનાં વિવિધ ગામોમાં મેલેરીયા શાખા દ્વારા સેનીટાઇઝેશન કામગીરી કરવામાં આવી.

ProudOfGujarat

પાલેજ રેલવે સ્ટેશન પર ગુજરાત એકસપ્રેસ ટ્રેનનું પુનઃ સ્ટોપેજ મળતા સાંસદ મનસુખભાઇ વસાવા એ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!