Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર રેલ્વે સ્ટેશનના પ્લેફોર્મ નંબર-૧ પર છેલ્લા બે મહિનાથી મુસાફરો દ્વારા પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

Share

વિનોદભાઇ પટેલ

અંકલેશ્વર શહેરમાં રહેતા નયના બેન ઘણા વર્ષોથી અંકલેશ્વરથી ભરૂચ ખાતે ટ્રેનમાં અપડાઉન કરે છે જેઓએ છેલ્લા બે મહિનાથી કાળજાળ ગરમીને ધ્યાનમાં રાખી રેલ્વેમાં આવતા મુસાફરોને ટ્રેનમાં અને પ્લેટફોર્મ ઉપર પાણીની વ્યવસ્થા મળી રહે તે માટે ઠંડા પાણીના કુલર મુક્યા છે. જેઓ અન્ય મુસાફરો અને વયોવૃદ્ધ તેમજ કોલેજના વિધાર્થીઓની મદદ વડે નિસ્વાર્થભાવે અંકલેશ્વર રેલ્વે સ્ટેશનના પ્લેફોર્મ નંબર-૧ પર જળ સેવા આપી રહ્યા છે. તેઓ વિવિધ ટ્રેનોમાં આવતા મુસાફરો અને સ્ટેશન ખાતે ઉભી રહેતી ટ્રેનોના પ્રવાસીઓને ટ્રેનમાં જઇને વિનામૂલ્યે પાણી વિતરણ કરી રહ્યા છે. તેઓની આ સેવાકીય પ્રવૃત્તિથી મુસાફરો પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

Advertisement


Share

Related posts

ઘી નબીપુર એડયુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી ગેરબંધારણીય હોય વહીવટદાર નિમણુક કરવા માંગ…

ProudOfGujarat

અમદાવાદ-વિરમગામ-માલવણ હાઇવે પર વડગાસ ગામના પાટીયા પાસે અકસ્માત સર્જાતા 3 વ્યકિતના ઘટના સ્થળે મોત-૧૦ ઘાયલ….

ProudOfGujarat

ભરૂચના પંડિત ઓમકારનાથ કલાભવન ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની કરાઇ ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!