Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર તાલુકા તલાટીઓની અચોક્કસ મુદત ની હડતાલ

Share

અંકલેશ્વર તાલુકા તલાટી કમ મંત્રી ઓ અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી જવા પામ્યા હતા ૬૨ જેટલા તલાટીઓ આમાં જોડાતા અંકલેશ્વર તાલુકાના ગામડાઓમાં આજથી તમામ પ્રકારના કામકાજથી વિમુખ રહેવાથી પ્રજાજનોને હાલાકીનો સામનો કરવો પડશે તલાટીઓની પડતર માંગણીઓ માં પ્રમોશન મુદ્દો પેન્શનનો મુદ્દો ફિક્સ પગાર તેમજ તલાટી ના પરિપત્ર મુદ્દાઓ તથા જુની પડતર માંગણીઓ અંગે સરકારમાં રજૂઆત કરવા છતાં સરકાર તેમની માંગણીઓ પર ધ્યાન આપતું નથી જેનાથી આજરોજ અંકલેશ્વર તલાટી ગણ અચોક્કસ મુદ્દતની હડતાલમાં જોડાઈ જવા પામ્યા હતા અને ચાવીઓ પણ જમા કરાવી દેવામાં આવી હતી આ અંગે તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ ભરતભાઇ જણાવ્યું હતું કે સરકાર અમારી તમામ માગણીઓ ન સંતોષે ત્યાં સુધી તલાટી-કમ-મંત્રી ઓ અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર રહેશે ભરૂચ જિલ્લાના ૬૦૦ જેટલા તલાટી કમ મંત્રી આ અચોક્કસ મુદ્દતની હડતાલમાં જોડાયા હતા

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નોબલ માર્કેટના બંધ ગોડાઉનમાં આગ થી અફરા તફરીનો માહોલ કોઇ જાનહાનિ નહીં

ProudOfGujarat

ભરૂચ : વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પર લગાવાયેલ કલમો દૂર કરવાની માંગ સાથે રાજપૂત કરણી સેના દ્વારા જિલ્લા કલેકટરને અપાયું આવેદનપત્ર..!

ProudOfGujarat

પાવાગઢ ખાતે તળેટીથી માંચી સુધીના રૂટ ઉપર ભારે તેમજ હળવા વાહનો ૨ થી ૧૬ એપ્રિલ સુધી ન જવા પર પ્રતિબંધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!