Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરાના ભામૈયા સ્થિત ત્રીમંદિર ખાતે પોતાની પડતર માંગણીઓને લઈને તલાટી કમમંત્રી આજથી અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરી આવ્યા હતા

Share

ગોધરા રાજુ સોલંકી
રાજ્યનાં તલાટી કમમંત્રી મંડળ દ્વારા પોતાની માંગણીઓને લઈ અનેકવિધ કાર્યક્રમો આપી સરકાર સામે મોરચોઓ કર્યાં હતાં જોકે તલાટીઓ દ્વારા દેખાવો કરી માંગણીઓ કરવા છતાં પણ સરકારના પેટનું પાણી પણ નહીં હાલતાં આજ રોજ ગોધરાના ભામૈયા સ્થિત ત્રીમંદિર ખાતે પોતાની પડતર માંગણીઓને લઈને ગોધરા તાલુકાના તલાટી કમમંત્રી આજથી અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરી આવ્યા હતા આ અંગે ગોધરા તાલુકાના તલાટી કમમંત્રી મંડળનાં પ્રમુખ ભુપેન્દ્રભાઈ બારીયા અને ગોધરા તાલુકાના તલાટી કમમંત્રી મંડળનાં મહામંત્રી શબાનાબેન શેખ એ જણાવ્યું હતું કે ગોધરા તાલુકાના તલાટી કમમંત્રીઓના પ્રશ્નો અંગે કોઈ નિરાકરણ નહીં આવતા આજ રોજ ગોધરા તાલુકા પંચાયતના ૬૦થી વધુ તલાટીઓ મહેસૂલી તથા પંચાયતની તમામ કામગીરીને બહિષ્કાર કરી અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરી આવ્યા છે આ ઉપરાંત ગોધરા તાલુકાના સરપંચ સંઘના પ્રમુખ અજયસિંહ નરેન્દ્રસિંહ સોલંકી સહિત તમામ સરપંચ ઓએ તલાટી કમમંત્રીઓના પડતર માંગણીઓને લઈને જાહેરમાં ટેકો આપી સમર્થન આપ્યું હતું

Advertisement

Share

Related posts

અરેરે…સંતોષી વસાહતના રહેવાસીઓની તકલીફોનો કોઈ પાર નથી, ગટરનું ઢાંકણું નથી તો કચરાપેટી ઉભરાય રહી છે..!!!

ProudOfGujarat

પાલેજ ખાતે ૭૩ માં ગણતંત્ર પર્વની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

જામનગરમાં બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ભગવાન સ્વામિનારાયણને ડોલર અને ગુલાબના ફૂલનો શણગાર કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!