Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર ની આમલખાડી માં મગર દેખાતા આસપાસ ના લોકો માં ભય નો માહોલ

Share

અંકલેશ્વર
તારીખ.23.10.18

અંકલેશ્વર ના આંબોલી રોડ પાસે આવેલ CISF કેમ્પ ની પાછળ થી પસાર થતી આમલખાડી માં છેલ્લા કેટલાક દિવસો થી મગર દેખાય છે અને તેના લીધે આસ પાસ વસતા લોકો માં અને ખાસ તો ત્યાં ઢોરો ચરાવવા વાળા કે જેમના ઢોરો ખારી માં પાણી પીવા ઉતરે છે તેમના માં ભય નો માહોલ સર્જાયો છે.
આ બાબત ની ફરિયાદ પ્રકૃતિ સુરક્ષા મંડળ ને કરતા પ્રકૃતિ શૂરક્ષા મંડળ દ્વારા જંગલ ખાતા ના અધિકારી ગાંધી  ને કરતા તેમણે તેમની ટિમ તપાસ અને કાર્યવાહી અર્થે રવાના કરી છે.
ભૂતકાળ માં પણ આજ ખાડી માં આજ સ્થળે મગર દેખાયો હતો અને ફરી વાર મગર દેખાયો છે. જંગલ ખાતા માટે તકલીફ એ છે કે તેઓ દ્વારા મગર ને પકડવા માટે મુકવામાં આવતા પાંજરા લોકો ચોરી કરી જાય છે અને ખાડી પરથી અત્યાર સુધી માં ત્રણ પાંજરા લોકો ચોરી ગયા છે.તેવી ચર્ચા છે

Advertisement

Share

Related posts

માંગરોળ : વાંકલ ગામે આજે સોમવતી અમાસ તેમજ રંગ અવધૂત મહારાજની પૂણ્યતિથિ નિમિત્તે પાદુકા પૂજન વિધિ કરવામાં આવી.

ProudOfGujarat

માંગરોળમાં વ્યાપક વરસાદથી કૃષિપાકને થયેલ નુકસાનનું ખેડૂતોને વળતર ચૂકવવા કોંગ્રેસની માંગ.

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગનાં તુલસી ફળિયા વિસ્તારનાં મકાનોમાં અચાનક આગ લાગી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!