Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ ગ્રામ પંચાયત ૧૯૦ બોર-હેન્ડપંપમાંથી માત્ર ૧૨૦ ચાલુ,બાકીમાં પાણી સુકાયા

Share

*૩ કુવામાં પાણીના સ્તર ભુગભૅમાં ઉતળ્યા,ગ્રામજનોને પીવાના પાણીની તંગીના અણસાર,
*૩૫૦ ફુટ બોર કરવાની મંજુરી મળે છે,પરંતુ ૭૦૦-૯૦૦ ફુટે માંડ-માંડ પાણી મળે છે,

નેત્રંગ ગ્રા.પંચાયતના ૧૯૦ બોર-હેન્ડપંપમાંથી ૧૨૦ ચાલુ છે,બાકીમાં પાણી સુકાતા પીવાના પાણીની સમસ્યા ઉદભવી છે,

Advertisement

પ્રાપ્ત માહિતી મુજબ ઉનાળાની સિઝનમાં ભારે ગરમીના પ્રકોપના કારણે જનજીવન ઉપર માઠી અસર પડી રહી છે,નેત્રંગ તાલુકામાં નદી-નાળા,તળાવ,ચેકડેમ,બોર અને કુવામાં પાણીના સ્તર ભુગભૅમાં ઉતરી જતા સિંચાઈ-પીવાના પાણીની સમસ્યાઓ પ્રકાશમાં આવી રહી છે,જેમાં નેત્રંગ તાલુકા મથકના જીનબજાર,જવાહર બજાર,ગાંધીબજાર અને લાલમંટોડી વિસ્તાર સહિત સમગ્ર ગામમાં વસવાટ કરતાં રહીશોમાં પીવાના પાણી બાબતે હાહાકાર મચી જવા પામ્યો છે,જેમાં નેત્રંગ ગ્રા.પંચાયત હસ્તક ૧૩૦-૧૩૫ બોર-મોટર છે,જે માંથી માંડ ૯૦-૧૦૦ બોર-મોટર ચાલુ છે,જ્યારે ૬૦ હેન્ડપંપમાંથી માત્ર ૪૦-૪૫ હેન્ડપંપમાંથી પાણી નીકળે છે,અને ગ્રા.પંચાયતના ૩ કુવામાં પણ પાણીનાા સ્તર ભુગભૅમાં ઉતરી જવાથી આવનાર ટુંક સમયમાં જ નેત્રંગ ગામમાં પીવાના પાણી બાબતે કકળાટની સાથે ગ્રા.પંચાયતના સતાધીશો અને રહીશો વચ્ચે ઘષૅણના એંઘાણ જણાઇ રહ્યા છે,

જ્યારે બીજી બાજુએ નેત્રંગ વિસ્તારમાં ઉનાળાની ભયંકર ગરમીના કારણે પાણી સ્તર તેજગતિએ ભુગર્ભમાં ઉતરી રહ્યા છે,અને બોર-મોટર,કુવામાં પાણીની અછત જણાઈ રહી છે,જેમાં સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ જવાબદાર વિભાગ ધ્વારા માત્ર ૩૫૦-૪૦૦ ફુટ બોર કરવાની મંજુરી મળે છે,પરંતુ નેત્રંગ ગામમાં ૭૦૦-૯૦૦ ફુટે માંડ-માંડ પાણી મળતું હોય છે,તેવા સંજોગોમાં મોટેભાગના બોર-મોટર શોભાના ગાઠીયા બની ગયા છે,નાણાને વેડફાટ થાય છે,જેથી આગામી ટુંક સમય જવાબદાર વિભાગના અધિકારીઓ અને ગ્રા.પંચાયતના સતાધીશો પાણીના ટેન્કર મારફતે જરૂરીયાતમંદ વિસ્તારમાં પાણી પહોંચાડવામાં આવે,અને બોર-મોટરનું પાણી કુવામાં નાખીને પાણીનો જથ્થો સંગ્રહ કરીને ઘરદીઠ પહોંચાડવામાં તેવી લોકમાંગ ઉઠી છે.


Share

Related posts

ભરૂચ સ્ટેશનની પાણીની ટાંકીમાંથી અપાતો પાણી પુરવઠો એક દિવસ માટે બંધ રહેશે.

ProudOfGujarat

રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત, ગોંડલમાં આંખલાએ વૃદ્ધને અડફેટે લેતા વૃદ્ધનું મોત.

ProudOfGujarat

સતત ત્રીજી ટર્મ માટે સમશાદ અલી સૈયદને વિપક્ષ નેતા તરીકેની જવાબદારી, લોકહિતના પ્રશ્નો માટેની લડતને પગલે બિનહરીફ વરણી ભરૂચ નગર પાલિકાનાં વિપક્ષના નેતા તરીકે સમશાદ અલી સૈયદ ત્રીજી વાર ચૂંટાયા છે. પાછલી બે ટર્મમાં સત્તાના સામા વહેણે લોક હિતના પ્રશ્નો માટે લડત લડતા સમશાદ અલી સૈયદ પર સાથી સભ્યોએ ફરી એકવાર ભરોસો મુક્યો છે. પ્રદેશ કોંગ્રેસ કાર્યલય ખાતે વિપક્ષના તમામ સભ્યોએ એક સૂરમાં વિપક્ષ નેતા તરીકે સમશાદ સૈયદને યથાવત રાખવાનો મત દર્શાવતા તેમની બિન હરીફ વરણી થઈ છે. કોંગ્રેસની વિધાર્થી પાંખ એન એસ યુ આઈમાં સામાન્ય કાર્યકર તરીકે હક્ક અને અધિકાર માટે લડતા સમશાદ અલી સૈયદ નગરપાલિકાનાં વોર્ડ નંબર 2 માં પ્રથમવાર 2015માં જંગી મતથી જીતી આવ્યા હતાં. 2018માં પ્રથમવાર વિપક્ષ નેતા તરીકે તેમની વરણી થઈ હતી. વિપક્ષના નેતા તરીકે શહેરના લોકોને સ્પર્શતા રોડ, રસ્તા, લાઈટ, ગંદકી, પાણીના નિકાલ જેવા પ્રશ્નો માટે સતત અવાજ ઉઠાવતા રહ્યા છે. આ ઉપરાંત નગરપાલિકાનાં કર્મચારીઓના પ્રશ્ન માટે પણ તેઓએ અનેકવાર રજૂઆત કરી છે. કાર્યકાળ દરમિયાન સામાન્ય સભામાં ધારદાર દલિલો અને રજૂઆતથી અને ભ્રષ્ટાચાર ઉજાગર કરવાથી તેમણે સત્તા પક્ષને મૂંઝવણમાં મૂક્યા છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને તેમની પ્રજાલક્ષી રાજનીતિ તેમજ વલણને જોઈ ત્રીજીવાર વિપક્ષના નેતા તરીકે બિન હરીફ ચૂંટાય આવ્યા છે. વિપક્ષ નેતા તરીકે થયેલી પસંદગી અંગે ખૂશી વ્યક્ત કરતા તેઓએ તેમના વોર્ડના નાગરીકો, શહેરની જનતા , સાથી નગરસેવકો તેમજ કોંગ્રેસ પ્રદેશ મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી દિવસોમાં પણ પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની તત્પરતા દાખવી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!