Proud of Gujarat
UncategorizedFeaturedGujaratINDIA

આજરોજ અંકલેશ્વર ખાતે આવેલ ગડખોલ પાટિયા પાસે ભાજપ દ્વારા સાંસદ મનસુખભાઇ વસાવા ના અંતર્ગત જનસંપર્ક યાત્રાનો આરંભ કરાયો

Share

જે ગડખોલ પાટિયા આવી પહોંચ્યો હતો જેમાં ભરૂચ જિલ્લાના સાંસદ છે મનસુખભાઇ વસાવા સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે આ જનસંપર્ક યાત્રા દ્વારા શહેર અને ગામડાંઓના દરેક લોકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની જે યોજનાઓ છે. તેનાથી માહિતગાર કરી તેનો વધુમાં વધુ દેશની જનતાને લાભ મળે તેના માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આ યાત્રા દ્વારા કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે તેનો લાભ લેવા માટે કઈ રીતે કામ કરવું તેના વિશે માહિતી આપવામાં આવે છે. જેથી કરીને રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓનું સામાન્યથી સામાન્ય માણસ અને ગરીબ માણસ સુધી આ યોજનાઓ પહોંચ્યા અને તેનો લાભ આ લોકો લઇ શકે તેના માટે જન સંકલ્પ યાત્રા આજરોજ અણખોલ ગામ ખાતે આવી પહોંચી હતી.

જેમા મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં રમેશભાઈ મિસ્ત્રી, મારુતિ અટોદરીયા, સંદીપભાઈ પટેલ, જનકભાઈ શાહ વગેરે ઉપસ્થિત રહી મનસુખભાઇ વસાવા નુ ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

Advertisement


Share

Related posts

દેશમાં પ્રથમવાર નર્મદા પોલીસ 139 જેટલા ગામોને કનેક્ટિવિટી સાથે જોડાવા 280 જેટલા હેમ રેડિયો વોકીટોકીનો ઉપયોગ કરશે.

ProudOfGujarat

હાર્દિક પટેલ, શ્વેતા બ્રહ્મભટ્ટ આજે સીઆર પાટીલની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે.

ProudOfGujarat

કેમિકલ ભરવાના બેરલની આડમાં લઈ જવાતો વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી વડોદરા એલ.સી.બી.

ProudOfGujarat
error: Content is protected !!