Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના શ્રી જય અંબે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નર્મદા પૂર અસરગ્રસ્ત લોકોની સહાય કરાઇ

Share

તાજેતરમાં નર્મદા નદીના ધોડાપુરના પગલે ખેડૂતો, શ્રમજીવીઓ તેમજ અન્ય લોકોને પારાવાર નુકસાન થયું છે. મકાન તેમજ ઘરવખરી અને અન્ય ચીજવસ્તુઓને થયેલ નુકસાનના પગલે પૂર ઓસરી ગયા બાદ પણ હાલના સમયમાં પૂર અસરગ્રસ્તોને શાયની જરૂર છે ત્યારે અંકલેશ્વરના શ્રી જય અંબે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પૂર અસરગ્રસ્ત એવા અંકલેશ્વર જૂના બોરભાઠા, પ્રાથમિક વિદ્યાલય, જૂના દીવા, કુમાર પ્રાથમિક વિદ્યાલય, જૂના દીવા કન્યા પ્રાથમિક વિદ્યાલય, જૂના કાનસિયા, પ્રાથમિક વિધ્યાલય, જૂના છાપરા પ્રાથમિક વિદ્યાલય અને નવગામા પ્રાથમિક વિદ્યાલય, જૂના હરીપુરા પ્રાથમિક વિદ્યાલયના વિદ્યાર્થીઓને શ્રી જય અંબે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓએ દ્વારા પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું

તેમજ અન્ય સહાય કરવામાં આવી હતી. જેમાં ટ્રસ્ટના ટ્રસ્ટી સુમિત પાંડેય, અનુરાગ પાંડેય, લકૂટસિંહ, આનંદ શર્મા, જયેન્દ્રસિંહ, જિગર પટેલ, વિવેક યાદવ વગેરે એ નોંધપાત્ર કામગીરી કરી હતી.

Advertisement

Share

Related posts

સુરતમાં સગીરાને હેરાન કરતાં આરોપીને ઝડપી પાડતી ડીંડોલી પોલીસ

ProudOfGujarat

વડોદરામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંભવિત કાર્યક્રમને લઈને પોલીસ સતર્ક.

ProudOfGujarat

ભરૂચ : મનાડ ગામનાં બસ સ્ટેન્ડ પાસે બે ઇસમોએ પરિણીત યુવતીને બિભસ્ત શબ્દો બોલી મારામારી કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!