Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શાંતિધામ સ્મશાન ભૂમિને સાત સગડીઓ અર્પણ કરાઇ.

Share

રોટરી કલબ ઓફ અંકલેશ્વર દ્વારા સંચાલિત શાંતિધામ સ્મશાન ભૂમિમાં સુવિધાઓ વધારવાના હેતુસર નગરપાલિકા અંકલેશ્વરના વોર્ડ નંબર 6 ના નગર સેવકો દ્વારા 3.50 લાખના ખર્ચે સાત જેટલી સગડી લોકપર્ણ કરવામાં આવ્યું હતું.

કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન લોકોએ પોતાના ઘણા પરિજનો ગુમાવ્યા હતા તે દરમિયાન સ્મશાન ઘરોની હાલત ઘણી દયનીય બની હતી. તે સમય દરમિયાન સ્મશાન ઘરોમાં લાંબી કતારો જોવા મળી હતી. આ વર્ષે મૃત્યુદરમાં જંગી વધારો જોવા મળી રહ્યો છે ત્યારે સ્મશાન ગૃહને સહાયરૂપ કામ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવા, ઉપપ્રમુખ કલ્પનાબેન મેરાઇ, કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ, દંડક ચેતનભાઇ, અતુલભાઇ, જયોત્સનાબેન, સાગરભાઇ, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, મહામંત્રી જીગ્નેશભાઇ, રોટરી ક્લબના ભુપેન્દ્રભાઇ શ્રોફ, મનીષભાઇ શ્રોફ, મોહનભાઇ, દીનેશભાઇ પટેલ, સહિતના સભ્યો હાજર રહ્યા હતા.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

કાલોલ તાલુકા પ્રમુખ સહિત કાર્યકરો ચૂંટણી પ્રચાર માટે ગાંધીનગર પહોંચ્યા.

ProudOfGujarat

અમદાવાદના નિકોલથી લક્ઝરી બસની ચોરી કરી ફરાર થયેલા શખ્સને પોલીસે ઝડપી પાડયો

ProudOfGujarat

નડિયાદ : શારિરીક માનસિક ત્રાસ ગુજારતા પીડીતાએ પતિ, સાસુ, સસરા અને જેઠ સામે ફરિયાદ નોંધાવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!