Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરમાં વરસાદ પડતા જ તમામ રસ્તાની હાલત બિસ્માર…

Share

અંકલેશ્વરમાં ગઇકાલે રાત્રિના સમયે વરસાદ પડતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અંકલેશ્વરમાં વર્ષોથી ખાડા અને પાણી ભરાવાની સમસ્યા યથાવત છે. વરસાદ પડતાની સાથે અંકલેશ્વરનાં કેટલા વિસ્તારોમાં પાણી ભરાઈ જતું હોય છે અને ખાડાઓમાં પાણી ભરાઈ જવાથી વાહન ચાલકોમાં પણ ભય જોવા મળતો હોય છે.

અંકલેશ્વરમાં વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ અંકલેશ્વર તંત્ર દ્વારા આજદિન સુધી કાયમી ધોરણે નિવારણ લાવી શક્યું નથી, હાલ તો ખાલી ખાડા પૂરી લીપાપોથી કરી ચલાવી લે છે.

વરસાદ પડતાંની સાથે ખાડાઓમાં પાણી ભરવાથી વાહનચાલકોને મુશ્કેલી વેઠવી પડે છે, જોવું રહ્યું કે આ સમસ્યામાંથી લોકોને કયારે છૂટકારો મળશે.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

રમઝાન માસ દરમિયાન જ ભરૂચના ઘુસવાડમાં પાણી સંકટ : ત્રણ દિવસથી પાણી બંધ, પાલિકાએ ટેન્કરથી પૂરવઠો પુરો પાડ્યો

ProudOfGujarat

માંગરોળના સ્ટાર વિલામાં બંધ મકાનમાં તસ્કરોનો 1.80 લાખનો હાથફેરો

ProudOfGujarat

હાંસોટ : બેંકની બહાર ખાતેદારો રૂપિયા ઉપાડવા લાઇનમાં ઊભા રહ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!