Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : વરેડિયા નજીક કારને અજાણ્યાં વાહન ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો.

Share

દીપાવલીના દિવસોમાં ભરૂચ જિલ્લામાં ઉપરાચાપરી ઘણા અકસ્માતોના બનાવો બન્યા છે ત્યારે આજે પણ એક અકસ્માતનો બનાવ વરેડીયા નજીક બન્યો હતો જેમાં અજમેરથી અંકલેશ્વર પોતાના ઘરે પરત ફરી રહેલા શેખ પરિવારની કારને અજાણ્યાં વાહન ચાલકે અડફેટે લેતા અકસ્માત થયો હતો.

આ બનાવ અંગે હજી પોલીસ ફરિયાદ નોંધી રહી છે પરંતું મળતી આધારભુત માહિતી મુજબ અંકલેશ્વરના શેખ કુટુંબના સભ્યો કારમાં અજમેર ગયા હતાં જે પરત આવી રહ્યા હતાં ત્યારે ભરૂચ નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વરેડીયા પાસે કોઈ અજાણ્યા વાહને કારને અડફેટમાં લીધી હતી. જોકે અજાણ્યા વાહનનો ચાલક વાહન લઈ ફરાર થઈ ગયો હતો. આ બનાવમાં શેખ પરિવારના ચારથી વધુ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી આ બનાવ અંગે પોલીસ તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

નવસારી નજીકના સિસોદ્રા ગામનું ઐતિહાસિક ગણેશ મંદિર ભક્તોની આસ્થા નું કેન્દ્ર

ProudOfGujarat

ભરૂચના નવા કલેકટર શ્રી રવિ અરોરા એ પરિવાર સાથે રવિવારે ભરૂચ ના ઐતિહાસિક સ્થળોની મુલાકાત સહ પરિવાર લીધી…

ProudOfGujarat

પંચમહાલ : શહેરા તાલુકાનાં દિવ્યાંગ બાળકોને કિટ વિતરણ કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!