Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલને દર્દીઓનાં હિતાર્થે વેન્ટિલેટર અને એમ્બ્યુલન્સનું દાન મળ્યું.

Share

હાલમાં પ્રવર્તમાન કોવિડ – ૧૯ ની પરિસ્થિતિમાં કોવિડ પોઝિટિવ દર્દીઓને નિઃશુલ્ક સારવાર પૂરી પાડવામાં અંકલેશ્વર ખાતેની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ખુબ જ મોટો ફાળો આપી રહી છે. આવી વિકટ પરિસ્થિતિમાં દાખલ દર્દીઓને અગવડના પડે તે હેતુથી હોચસ્ટ ઇન્ડિયા લિમિટેડ એમ્પ્લોય ક્રેડિટ એન્ડ કન્સયુમર કો-ઓપરેટીવ સોસાયટી તરફથી હોસ્પિટલને આધુનિક વેન્ટિલેટર દાનમાં આપવામાં આવેલ છે. તેમજ ઝાધડીયા સ્થિત વર્ધમાન એક્રેલિકસ લિમિટેડ કંપની તરફથી દર્દીઓને પરિવહનમાં અનુકૂળતા રહે તે માટે એક એમ્બ્યુલન્સ દાનમાં આપવામાં આવી છે. આ પ્રસંગે હોસ્પિટલના ટ્રસ્ટી શ્રી કમલેશભાઈ ઉદાણી અને શ્રી હિતેનભાઈ આનંદપુરાએ બંને કંપનીઓના આ ઉમદા કાર્ય માટે આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement

Share

Related posts

ગોધરા : કોરોના માહોલમાં વોર્ડ -૧ નાં વિસ્તારો ગંદકીથી ખદબદી રહ્યા છે,રોગચાળો ફાટે તો જવાબદાર કોણ ???

ProudOfGujarat

ભરૂચ જિલ્લા ફેર પ્રાઇસ શોપ એસોસિયેશનના પ્રમુખ તરીકે ઝઘડિયાના નરેન્દ્રસિંહ પરમારની વરણી કરાઇ.

ProudOfGujarat

બાવાગોર દરગાહનાં ઇતિહાસમાં પ્રથમવાર શબેબરાતનાં તહેવારમાં દરગાહમાં શ્રધ્ધાળુઓની ગેરહાજરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!