Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની નોબલ સ્ટીલ એન્જીન્યરીંગ વર્કસમાં 72 માં ગણતંત્ર દિવસની આન-બાન-શાનથી ઉજવણી કરાઇ.

Share

અંકલેશ્વરની નોબલ સ્ટીલ એન્જીન્યરીંગ વર્કસ ખાતે ૭૨ માં પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજ વંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અંકલેશ્વરની નોબલ સ્ટીલ એન્જીનીયરીંગ વર્કસમાં સુરત જી. ડાભેલનાં મૌલાના મુફ્તી મેહમુદ બારડોલી સાહેબના વરદ હસ્તે ઘ્વજવંદનનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જનાબ મૌલાના સલમાન ખાનપુરી સાહેબે ભારત દેશના સ્વતંત્રતા ચળવળના સપૂતોને યાદ કર્યા હતા તથા ડો.બાબા સાહેબ આંબેડકર દ્વારા લખેલ દેશના બંધારણ અને તેના અધિકારો વિશે વિશેષ સમજ આપી હતી જયારે કારી તાહિર કરમાંદી સાહબ દ્વારા નિરાલા અંદાજમાં રાષ્ટ્રીય નાત રજુ કરવામાં આવી હતી.

આ રાષ્ટ્રીય પ્રજાસત્તાક પર્વ નિમિત્તે કોરોના જેવી મહામારીથી આ દેશને મુક્તિ મળે તે માટે દુઆ પણ ગુજારવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મૌલાના મુફ્તી મહેમુદ બારડોલી સાહબ, કારી તાહિર કર્માડી સાહબ, કારી ઈલ્યાસ પિરામણ, નોબેલ સ્ટીલ સ્ટાફ તથા આ ધ્વજવંદન કાર્યક્રમમાં અનેક લોકોએ ઉત્સાહભેર ભાગ લઇ ૨૬ મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે કાર્યક્રમના અંતમાં પધારેલા મહેમાનો તથા સ્ટાફગણનો આભાર માની મીઠાઇ વહેંચી કાર્યક્રમને પૂરો કરવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ : પાલેજ સ્થિત દરગાહ શરીફ પર છઠ્ઠી શરીફની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ભરૂચ : ગાંધી બજારમાં ગટરની સફાઈ કરી તેની આસપાસ બેરીકેટ ઉભી કરવામાં આવી.

ProudOfGujarat

ગુજરાત રાજ્યની ઉ. માધ્યમિક શાળાઓ, અનુદાનિત અને સરકારી કોલેજો-યુનિવર્સિટીઓમાં ગ્રંથપાલની ખાલી જગ્યા ભરવા ભરૂચ કલેકટરને રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!