Proud of Gujarat
EducationFeaturedGujarat

આજરોજ ગુજકેટની પરીક્ષા યોજાય ગઈ…

Share

દિનેશભાઇ અડવાણી

આજરોજ તારીખ ૨૬-૦૪-૧૯ ના રોજ ગુજકેટની પરીક્ષા લેવામાં આવી હતી.ગુજકેટની પરીક્ષા વિવિધ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ચલાવાતા એન્જિનિરીંગ,ટેક્નોલોજી/ફાર્મસી જેવા કોર્સમાં પ્રવેશ મેળવવા માટે યોજવામાં આવે છે.જેમાં સાયન્સ ના મુખ્ય વિષયો ફિઝિક્સ,કેમેસ્ટ્રી ,બાયોલોજી ,અને ગણિત એમ ચાર વિષયોની પરીક્ષા યોજાય છે.પરીક્ષામાં પૂછવામાં આવતા પ્રશ્નો મલ્ટીપલ ચોઈસ પ્રકારના હોય છે. ચાર વિકલ્પો માંથી એક ની પસંદગી કરવાની હોય છે.

Advertisement

ભરૂચ જિલ્લાના વિવિધ ૧૮ જેટલા સેન્ટરો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.૧૮ સેન્ટરો પર ૨૦૦ જેટલા બ્લોક ફાળવવામાં આવ્યા હતા.ભરૂચ જિલ્લાના ૩૯૬૪ વિધાયર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપી હતી.ચુસ્ત પોલીસ બંબોબસ્ત સાથે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.કોઈ પણ સેન્ટર પર કોઈ ગેરરીતિનો બનાવ બન્યો ન હતો.પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સમાપ્ત થઇ હતી.


Share

Related posts

ભરૂચ : વાગરાનાં પણિયાદરા ગામ ખાતે યુ.પી.એલ કંપની બહાર ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન કર્યું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં પેઇન્ટીંગ વર્કશોપનો એમિટી સ્કુીલ ખાતે થયેલ શુભારંભ.

ProudOfGujarat

પાનોલી જીઆઇડીસી માં આવેલ રઘુવીર બિલ્ડીંગના ચોથા માળેથી નીચે પટલાયેલ કામદારનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!