Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લા ના વાલિયા નજીક ટેન્કર અને વાન વચ્ચે અકસ્માત બાદ વાનમાં આગ લાગતા વાનમાં સવાર 2 વ્યકતિના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા ……….

Share

        
   બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ગત રાત્રીના સમયે ભરૂચ જીલ્લા ના વાલિયા નજીક આવેલ સી એન જી પંપ ખાતે વાન લઇ ધીરુ ભાઈ વસાવા રહેવાસી વાલિયા જી ઈ બી કોલોની તેમજ શિવા ભાઈ વસાવા રહેવાસી અંકલેશ્વર બોરભાઠા નાઓ ગયા હતા..તે સમય ગાળા દરમિયાન તેઓ ની વાન સાથે અચાનક ટેન્કર ઘુસી જતા ટેન્કર અને વાન પલ્ટી ખાતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માત ના પગલે વાન માં આગ લાગી હતી.અકસ્માત બાદ આગ થી વાન માં સવાર બંનેવ ઇશ્મો વાનની બહાર ન નીકળી શકતા તેઓ અંદર જ સળગી ઉઠ્યા હતા અને તેઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા ..તો બીજી તરફ અકસ્માત બાદ વાન માં આગ લાગવાની ઘટના ના પગલે ટેન્કર ચાલક ટેન્કર મૂકી સ્થળ ઉપર થી પલાયન થઈ ગયો હતો.ઘટના અંગે ની જાણ નજીક માં રેહતા લોકો ને થતા અકસ્માત બાદ ઘટના સ્થળે મોટી સંખ્યમાં લોક ટોળા એકત્રિત થયા હતા જયારે થોડા સમય માટે અંકલેશ્વર.વાલિયા રોડ પર ગમખ્વાર અકસ્માત ના પગલે ટ્રાફિકજામ ના દ્રશ્યો પણ સર્જાયા હતા… સમગ્ર મામલા અંગે ની જાણ વાલિયા પોલીસ ને થતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ મામલા અંગે નો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી……………..

Share

Related posts

ઉમરપાડામાં યુવા સંગઠનને દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયાના PSI રતિલાલ વસાવાને સસ્પેન્ડ કરવા મુદ્દે વિરોધ પ્રદર્શિત કર્યો.

ProudOfGujarat

વ્યારા ખાતે મેન ઓફ સ્ટીલ મિ. સાઉથ ગુજરાત બોડી બિલ્ડીંગ કોમ્પીટીશન યોજાઈ.

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં હલદરવા ગામની સીમમાં ઝનોર ગામની પરણીતા અને તેના બાળકની લાશ મળી આવતા પરિવારજનોએ તેણે આપઘાત કર્યો હોવાનું કહેતા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!