Proud of Gujarat
FeaturedGujarat

મહાશિવરાત્રી નિમિત્તે શિવભક્તે ઘીના ઉપયોગ વડે નયનરમ્ય પ્રતિકૃતિ તૈયાર કરી… ઓમ નમઃ શિવાય

Share

જેમ-જેમ મહાશિવરાત્રીનું પર્વ નજીક આવતું જાય છે તેમ-તેમ ભરૂચ જિલ્લામાં ધાર્મિક વાતાવરણ છવાઈ રહ્યું છે.શિવભક્તિ માટે એમ કહેવાય છે કે નર્મદા કિનારો અને તેથી ભરૂચ જિલ્લાનો વિસ્તાર આદર્શ છે.તેથી જ વિવિધ દિવ્ય દેવોથી માંડીને તપસ્વીઓએ નર્મદા નદી એટલે કે રેવા તટે શિવ-સાધના અને શિવતપ કર્યું.જેમાં મહાન તપસ્વી ભૃગુઋષિનો પણ નર્મદા તટે તપસ્યા કરી ભરૂચ નગર વસાવ્યું.આવા જ ભરૂચના એક શિવભક્ત દિલીપભાઈ મિસ્ત્રીએ ઘી માંથી શિવજીની પ્રતિભા સંપન્ન પ્રતિમાનું સર્જન કર્યું.તેઓ છેલ્લા ૨૫ વર્ષથી ઘી માંથી શિવજીની પ્રતિમા તૈયાર કરી રહ્યા છે.આ પ્રતિમા તૈયાર કરવામાં તેમને 10 દિવસનો સમય લાગ્યો હતો.અને ૨૫ કિલો ઘી માંથી 4 ફૂટ ઉંચી અને 2.5 ફૂટ પોહડી શિવજીની મનમોહક અને પ્રતિભા સંપન્ન શિવજીની પ્રતિમા તૈયાર કરી.જે ભૃગુઋષિના મંદિર ખાતે લોકોના દર્શન અર્થે મુકવામાં આવશે… ઓમ નમઃ શિવાય.

Advertisement

Share

Related posts

પ્રવેશ પાસની બારી ખોલવા બાબતે કર્મચારી તથા અસરગ્રસ્ત વચ્ચે તું-તું મે મે ના દ્ર્શ્યો.

ProudOfGujarat

અમદાવાદ જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે.ની અધ્યક્ષતામાં ધંધુકા તાલુકાના પચ્છમ ગામે રાત્રિસભા યોજાઈ

ProudOfGujarat

ભરૂચ પોલીસને મોટરસાયકલ ઉઠાંતરી કરતા આરોપીને ઝડપી લેવામાં મળેલ સફળતા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!