Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ગડખોલ ગામે વીજ ડીપી પાસે કચરાના ઢગલા પાસે ગાયનું મોત, ત્રણ દિવસથી મૃતદેહ ન ઉઠતાં રોષ

Share

ગડખોલ ગામની હદ વિસ્તારમાં આવેલ વીજ કંપનીના ડીપી નજીક લોકો દ્વારા નાખવામાં આવતા કચરાના ઢગલા પાસે એક ગાયનું મોત નિપજતા સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે.
પાર્શ્વનાથ સોસાયટી રોડ પર છેલ્લા કેટલાંક દિવસોથી આ ગાય બીમાર હાલતમાં આંટાફેરા મારી રહી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ ગાયનું મૃત્યુ થયા બાદ ત્રણ દિવસ વીતી ગયા છતાં ગ્રામ પંચાયત તરફથી મૃતદેહ ઉઠાવવાની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પરિણામે ગાયનો મૃતદેહ ત્યાં જ પડ્યો રહેતાં આસપાસના વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે.

આ બાબતે સ્થાનિક રહેવાસીઓએ ગ્રામ પંચાયત, જીવદયા પ્રેમીઓ તેમજ ગૌસેવા સાથે સંકળાયેલા ગૌરક્ષકોને વારંવાર રજૂઆતો કરી હોવા છતાં હજી સુધી કોઈ ચોક્કસ પગલું ભરાયું નથી. દુર્ગંધ અને સ્વચ્છતાની સમસ્યાને કારણે નજીકમાં રહેતા લોકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે.

ગ્રામજનો દ્વારા તાત્કાલિક મૃતદેહ દૂર કરી યોગ્ય નિકાલ કરવામાં આવે તેમજ ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવાની માંગ ઉઠી રહી છે.
Advertisement

Share

Related posts

ગુજરાત પરથી ‘મહા’ સંકટ ટળ્યું : ઠેર ઠેર વરસ્યો વરસાદ

ProudOfGujarat

ભરૂચના મહંમદ પુરા નજીક લાકડા ના ગોડાઉન માં ભીષણ આગ ફાટી નીકળતા સ્થાનિકો માં નાશભાગ મચી હતી, ભરૂચ જિલ્લા માં ઉનાળા ની ઋતુ ની માંડ શરૂઆત થઈ છે ત્યાંજ તો આગ લાગવાના એક બાદ એક બનાવો સામે આવી રહ્યા છે, જિલ્લા માં ઔધોગિક એકમો, લાકડા ના ગોડાઉનો સહિત વાહનો માં આગ જેવી ઘટના જાણે કે દિવસે ને દિવસે સામાન્ય બનતી જઈ રહી હોય તેમ લાગી રહ્યું છે,તેવામાં વધુ એક ઘટના સામે આવી હતી, ભરૂચ શહેર ના મહંમદ પુરા થી લીમડી ચોક તરફ જવાનાં માર્ગ પર આવેલ એક લાકડા ના ગોડાઉન માં આજે બપોર ના સમયે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સ્થાનિકો માં નાશ ભાગ મચી જવા પામી હતી, ગોડાઉન માં લાગેલ વીકરાળ આગ ની જવાળા ઓ અને ધુમાડા દૂર દૂર સુધી નજરે પડતા એક સમયે સ્થાનિકો ના જીવ ટાળવે ચોંટાયા હતા, ઘટના અંગેની જાણ ભરૂચ નગર પાલિકા ના ફાયર વિભાગ માં કરવામાં આવતા ફાયર ના લાશકરો લાય બંબા સાથે તાત્કાલિક ઘટના સ્થળે જવા માટે રવાના થયા હતા જે બાદ લાકડા માં લાગેલ ભીષણ આગ ઉપર પાણી નૉ મારો ચલાવી તેને કાબુ માં લેવાની કવાયત હાથ ધરવામાં આવી હતી, પ્રાથમિક જાણકારી મુજબ લાકડા ના ગોડાઉન માં લાગેલ આગ માં કોઇ જાનહાની થવા પામી ન હતી જોકે લાકડા નૉ મોટો જથ્થો બળી ને ખાખ થઈ જતા ગોડાઉન સંચાલક ને મોટી નુકશાની નૉ અંદાજ લગાવાઈ રહ્યો છે,

ProudOfGujarat

પાલેજ નજીક રેલવે ફાટકના બેરિયર સાથે કોઈ અજાણ્યું વાહન અથડાતા ઓવરહેડ કેબલ બ્રેક થતા ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!