Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચની શ્રવણ વિદ્યાલયમાં વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે કવિ સંમેલન યોજાશે

Share

। ભરૂચ ।

વિશ્વ માતૃભાષા દિવસ એટલે કે,૨૧ મી ફેબ્રુઆરીના રોજની દરવર્ષની જેમ આ વર્ષે પણ ભરૂચમાં તેની ઉજવણી કરવામાં આવનાર છે. ગુજરાત સાહિત્ય અકાદમી બુધકવિ સભા તેમજ શ્રવણ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે શ્રવણ વિદ્યાલયમાં શનિવારે સવારે ૧૧.૩૦ કલાકે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભરૂચના જ વિવિધ કવિઓ પોતાની કૃતિઓ રજૂ કરશે. જેમાં કવિશ્રી રમેશ પ્રજાપતિ, પ્રમોદકુમાર પંડ્યા, જતીન પરમાર ખાસ ઉપસ્થિત રહેશે અને પોતાની કવિતાઓ રજૂ કરશે. ભરૂચના સાહિત્ય અકાદમી પુરસ્કૃત ભરૂચના સાહિત્યકાર રમણિક અગ્રવાત મહેમાન તરીકે ખાસ હાજર રહેનાર છે.ત્યારે ભરુચની ભાષાપ્રેમઓને માતૃભાષાનું મહિમાગાન કરવા આમંત્રણ પાઠવાયું છે.

Advertisement

Share

Related posts

બજાજ ફિનસર્વ લિમિટેડના ચોથા ત્રિમાસિક અને નાણાકીય વર્ષ 2023 ના પરિણામો, વાર્ષિક કોન્સોલિડેટેડ કુલ આવક અને નફો સર્વોચ્ચ નોંધાયો

ProudOfGujarat

નેત્રંગમાં વાદળછાયા વાતાવરણની સાથે કમોસમી વરસાદી માવઠું થયું.

ProudOfGujarat

વર્લ્ડ કપ 2023 : ભારત-પાકિસ્તાનની મેચની તારીખ બદલાઈ, હવે આ દિવસે થશે હાઈવોલ્ટેજ મુકાબલો!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!