Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અધિકમાસ નિમિત્તે ભરૂચ પાંજરાપોળ ખાતે બ્રહ્મભોજનનું આયોજન : ગૌપૂજન અને પુણ્યદાન સાથે મોટી અગિયારસે ભક્તિમય માહોલ

Share

ભરૂચ :: ગૌતીર્થ સમાન ગણાતી ભરૂચ પાંજરાપોળ ખાતે અધિકમાસ નિમિત્તે અધિક જેઠ સુદ અગિયારસના શુભ અવસરે બ્રહ્મભોજન તથા ગૌપૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મોટી અગિયારસના પાવન દિવસે ધાર્મિક અને આધ્યાત્મિક માહોલ વચ્ચે ગૌભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

પુરુષોત્તમ માસમાં ગૌસેવા, ગૌપૂજન અને પુણ્યદાનનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. તે અનુસંધાને ગૌ મનોરથીઓ દ્વારા બ્રહ્મભોજનનું આયોજન કરી ધાર્મિક ભાવનાને વધુ પ્રગટ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ગૌમાતાની પૂજા-અર્ચના સાથે સુખ-સમૃદ્ધિ અને લોકકલ્યાણ માટે પ્રાર્થનાઓ કરવામાં આવી હતી.

Advertisement

આ પ્રસંગે ભરૂચ પાંજરાપોળના ટ્રસ્ટીઓ, ગૌ પુજારીઓ તેમજ ગૌ મનોરથીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર પરિસરમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું અને ગૌસેવાના સંદેશ સાથે સેવાભાવની અનોખી ઝલક જોવા મળી હતી.


Share

Related posts

ઉમરપાડાના નવી વસાહત વિસ્તારના 17 ગામોમાં બરફના કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો

ProudOfGujarat

ઝઘડિયાના રાયસીંગપુરા ગામના યુવકનું ઉમલ્લા નજીક મોટરસાયકલ સ્લીપ થતાં મોત નીપજયું.

ProudOfGujarat

સુરત કતારગામ વિસ્તારમાં આવેલા વસ્તાદેવડી રોડ પર ચાર માળના બિલ્ડીંગનો સ્લેબ ધરાશાયી થતાં કેટલાંક લોકો દટાયા હોવાની આશંકા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!